ગુજરાતના વડોદરામાં સ્થિત અંબા માતાના મંદિરમાં નવરાત્રીની ઉજવણી અલગ રીતે કરવામાં આવે છે. અહીં પુરુષો ગરબા રમીને વર્ષો જૂની પરંપરાનું પાલન કરે છે.
દેશભરમાં નવરાત્રીના તહેવારની ધૂમ
અહીં પુરૂષો સાડી પહેરીને કરો છે ગરબા
જુઓ તેનો વીડિયો
મા દુર્ગાની નવરાત્રીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દેશભરના મંદિરો અને બજારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં નવરાત્રીના તહેવારનું વિશેષ મહત્વ છે. અહીં લોકો નવરાત્રિ દરમિયાન દાંડિયા અને ગરબા રમે છે. જો કે તમે દાંડિયા-ગરબા રમવા માટે મહિલાઓ અને યુવતીઓને ચણીયાચોલી પહેરી અને શણગાર સજેલી જોઈ હશે.
પરંતુ ગુજરાતમાં એક એવી જગ્યા છે જ્યાં માત્ર પુરુષો જ ગરબા રમે છે. આ જગ્યાએ પુરુષો સાડી પહેરીને ગરબા રમે છે. જી હા તે સાંભળીને તમે પણ ચોંકી ગયાને. આજે અમે તમને એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં પુરૂષો સાડી કે દુપ્પટ્ટા ઓઢીને ગરબા કરે છે.
#WATCH: Vadodara's Amba Mata Temple practices an age-old tradition of an 'All-Men Garba'. "In ancient times it wasn't safe for women to participate in Garba late at night, which is why men performed it draping dupattas; doesn't mean that women weren't allowed," said temple priest pic.twitter.com/lnKkfZCHgm
સાડી પહેરીને પુરૂષો કરે છે ગરબા
ગુજરાતના વડોદરામાં આવેલા અંબા માતાના મંદિરમાં નવરાત્રિમાં ખૂબ જ ભીડ જોવા મળે છે. અહીં તમને નવરાત્રિની અલગ-અલગ ધૂમ જોવા મળશે. જણાવી દઈએ કે અહીં પુરુષો ગરબા રમવાની વર્ષો જૂની પરંપરાનું પાલન કરે છે. ખાસ વાત એ છે કે અહીં પુરુષો સાડી અને લહેંગા પહેરીને ગરબા રમે છે. સ્ત્રીઓ બાલ્કનીમાં બેસીને ગીતો ગાય છે. આ નજારો જોવા માટે લોકો દૂર-દૂરથી મંદિરે આવે છે.
પુરુષો 400 વર્ષથી રમે છે ગરબા
તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા 400 વર્ષથી અહીં માત્ર પુરુષો જ ગરબા રમે છે. પૌરાણિક કથાઓ અનુસાર, જ્યારે ગાયકવાડ પહેલા વડોદરામાં ઇસ્લામિક શાસકોનું શાસન હતું, ત્યારે મહિલાઓને પરદામાં રહેવું પડતું હતું. માતાની પૂજા કરવા માટે અહીં માત્ર પુરુષો જ સ્ત્રીઓનો વેશ ધારણ કરીને ગરબા રમતા હતા.
આ છે કારણ
એવું કહેવાય છે કે જૂના જમાનામાં મહિલાઓ માટે મોડી રાત્રે ગરબામાં ભાગ લેવું સુરક્ષિત માનવામાં આવતું ન હતું. આ જ કારણ છે કે પુરુષો મહિલાઓના વેશમાં ગરબા રમવા હતા. તમને જણાવી દઈએ કે મહિલાઓને અહીં આવવા પર પ્રતિબંધ નથી, પરંતુ તેઓ આ વર્ષો જૂની પરંપરાને જાળવી રાખવા માટે ગીતો ગાય છે. તમને જણાવી દઈએ કે અંબાજી માતાનું મંદિર પ્રાચીન અને મુખ્ય ધાર્મિક સ્થળોમાં જાણીતું છે. આ મંદિર મા દુર્ગાના 51 શક્તિપીઠોમાં સામેલ છે.