ભારતમાં સ્ત્રીને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ એ છાપ સમાજમાં અલગ અને ઘરની ચાર દિવાલોમાં કંઇક અલગ જ હોય છે. દરજ્જો આપવાથી સમ્માન વધતું નથી પરંતુ લોકો એની પર કેટલો અમલ કરે છે ફરક એનાથી પડે છે.
મહિલાઓ સાથે ખરાબ વ્યવહાર, અસમાનતા અને હિંસાની ઘટનાઓ નવી નથી. પરંતુ આજના સમયમાં આ ટકાવાળી વધતી જ જાય છે. એવામાં દેવી કહેવાતી સ્ત્રીની દશા કેવી હશે એની કલ્પના કરી શકાય છે.
તાજેતરમાં આવેલી ઑક્સફેમ ઇન્ડિયા 2019ની સમાનતા અને અસમાનતાના રિપોર્ટમાં ભારતના પ્રમુખ રાજ્યોમાં મહિલાઓની સ્થિતિના વિષય પર વાત કરવામાં આવી છે. જેમાં આશરે 1 હજાર પરિવારો પર બનાવવામાં આવેલા રિપોર્ટથી જાણકારી મળી છે કે ઘરના પુરુશો નાની વાતો પર મહિલાઓને મારવા, પીટવા અને ફટકારવાની વાત સ્વીકારી છે.
એનાથી સ્પષ્ટ જણાય છે કે પુરુષોમાં પિતૃસત્તાત્મક વિચારો દિવસે દિવસે વધતી જઇ રહી છે. સમાજમાં એક મહિલા ત્યાં સુધી દેવી માનવામાં આવે છે જ્યાં સુધી એ પુરુષોની સાચી અને ખોટી વાત ચૂપચાપ સાંભળે છે. જો કોઇ ખોટી વાત પર મહિલાએ પોતાનો મત રાખવાનો અથવા વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો તો હિંસાની શરૂઆત ત્યાંથી થાય છે.
શોધમાં સામેલ આશરે 53% પુરુશોએ માન્યું કે જો મહિલા બાળકની દેખરેખ યોગ્ય રીતે કરી રહી નથી તો એને ફટકારવી ખોટી નથી. મહિલા દ્વારા રસોડાની જવાબદારીથી ભાગવા પર 41% પુરુષોએ એમની મારવા પીટવાની વાત કહી છે. 42 ટકા પુરુષોએ કહ્યું કે મહિલા પીવા માટે પાણી ના ભરે કે ખાવાનું બનાવવા ઇંધણ ના લાવે તો એને મારવી યોગ્ય છે. 54 ટકા પુરુષોએ માન્યું કે જો મહિલાઓ પરમીશન વગર બહાર જાય છે તો એને ફટકારવી કે મારવી એમનો અધિકાર છે.
એવા વિચાર રાખનાર પુરુષ જ્યાં સુધી સમાજમાં છે ત્યાં સુધી મહિલાનું ઉત્થાન મુશ્કેલ છે. આજે આપણા સમજમાં મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવે છે પરંતુ શોધમાં આવેલી આ વાત મોટો પ્રશ્ને ઊભો કરી દે છે.