ભારતનાં એવા અનેક મંદિરો છે જ્યાં મહિલાઓને દર્શન કરવા જવાં પર પાબંધી ફરમાવવામાં આવેલ છે. પરંતુ ભારતમાં અમુક મંદિરો એવા પણ આવેલાં છે જ્યાં પુરૂષોને દર્શન કરવાની અનુમતિ આપવામાં આવતી નથી.
માતા મંદિર:
બિહારના મુજ્જફરપુર જીલ્લામાં આવેલ માતા મંદિરમાં રોજે હજારો શ્રધ્ધાળુઓની ભીડ આવી ચડે છે પરંતુ આ મંદિરમાં અવધિ એવી હોય છે કે આ દિવસ દરમ્યાન પુરૂષોને અંદર દર્શન કરવાની મંજુરી આપવામાં આવતી નથી. ખાસ કરીને આ દિવસે મુખ્ય પુજારીને પણ પ્રવેશ મળતો નથી.
ત્રંબકેશ્વર મંદિર નાસિક:
ત્રંબકેશ્વર મંદિરના ગર્ભગૃહમાં પહેલાં મહિલાઓને પ્રવેશ આપવામાં આવતો હતો પરંતુ એપ્રિલ 2016 માં બોંમ્બે હાઇકોર્ટે પુરૂષના પ્રવેશ પર પણ પાબંધી લગાવી હતી.
ચક્કુલાતુકાવુ મંદિર અલાપુઝા :
- કેરળના અલાપુઝા જીલ્લામાં આવેલ આ મંદિરમાં દરેક વર્ષે પોંગલ તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસોમાં લાખો મહિલા શ્રધ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે ત્યારે પુરષોને દર્શન કરવા પર પ્રતિબંધ લાદવામાં આવે છે.
દેવી કન્યાકુમારી તામિલનાડુ :
માતાજીના કિશોર સ્વરૂપ ધરાવતી આ શક્તિપીઠમાં પરણેલ પુરૂષોને દર્શન કરવાથી વિવાહિત જીવનમાં નકારાત્કતા આવે છે તેવી એક માન્યતા રહેલી છે આ કારણોસર મંદિરના ગર્ભગૃહમાં પુરૂષોને પ્રવેશ આપવામાં આવતો નથી.