ગાંધીનગરઃ કેન્દ્રીય ચૂંટણીપંચની ટીમ આજે ગુજરાત આવશે. બે થી ત્રણ સભ્યોની ટીમ ગુજરાત આવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ નોટિફિકેશનને લઇને કાર્યવાહી થશે. જીતેલા ઉમેદવારોના નામનું નોટિફિશેન રાજયપાલને સોંપશે. અને નોટિફિકેશન બાદ CM અને મંત્રીમંડળ રાજયપાલને રાજીનામુ સોંપશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઇ છે અને રાજ્યમાં ભાજપની સ્પષ્ટ બહુમતિથી જીત થઇ છે. ત્યારે નવી સરકારને લઈ વર્તમાન વિધાનસભાનું વિસર્જન કરાયું છે. 13મી વિધાનસભા વિસર્જનનું ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
રાજ્યપાલ ઓ.પી. કોહલી દ્વારા આદેશનાં પગલે આ વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું છે. હવે નવી સરકાર રચવા માટે રાજ્યપાલને વિધિવત્ આમંત્રણ પાઠવવામાં આવશે. ત્યાર બાદ મંત્રીમંડળની શપથવિધી યોજાશે. નવી સરકારની 25 ડિસેમ્બરે શપથવિધિ યોજાવાની શક્યતા છે.