ત્યાં ઇન્દ્ર દેવ ના સફેદ હાથી એરાવતે મહાદેવની પૂજા કરી હતી. આ મંદિરનું નામ એ હાથી પરથી રાખવામાં આવ્યું હતું.
ભગવાન શિવના આ મંદિરનું નિર્માણ 12મી સદીમાં કરવામાં આવ્યું હતું
આ મંદિરનું નામ એરાવતેશ્વર મંદિર છે
ખાસ કરીને આ મંદિરને આકર્ષણનું કેન્દ્ર બનાવે છે ત્યાંની સીડીઓ
મહાદેવનું મંદિર દેશના દરેક ખૂણામાં જોવા મળશે. ફક્ત દેશમાં જ નહીં વિદેશમાં પણ ઘણી જગ્યાઓ પર ભોલેનાથની મૂર્તિઓ જોવા મળશે. પણ ભારતમાં ભોલેનાથનું એક એવું મંદિર છે જેની સીડીઓમાં સંગીત વાગવાનો અવાજ આવે છે. ભગવાન શિવના આ મંદિરનું નિર્માણ 12મી સદીમાં કરવામાં આવ્યું હતું.
Carved on the walls of Airavatesvara Temple ,this optical illusion proves that our ancestors were way ahead of time & carved numerous masterpieces in stone . pic.twitter.com/rkd7ZZlEBK
દેશમાં શિવજીના ઘણા નવા મંદિરો છે પણ સાથે જ ઘણા ઐતિહાસિક અને પ્રાચીન મંદિરો પણ આવેલ છે. એવા માંથી જ એક 800 વર્ષ જૂનું શિવ ભગવાનનું મંદિર છે. જે અન્ય મંદિરોથી ઘણું અલગ છે. જ્યાંની મહિમા અપરંપાર છે. આજે અમે તમને આવા જ એક ચમત્કારી મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
શું છે મંદિરનું નામ અને ક્યાં આવેલ છે ?
આ મંદિરનું નામ એરાવતેશ્વર મંદિર છે, જે દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યના કુંભકોણમથી ત્રણ કિલોમીટર દૂર આવેલ છે. આ ભગવાન શિવનું મંદિર 12મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. મંદિર ફક્ત ધાર્મિક મહત્વને કારણે નહીં પણ પ્રાચીન વાસ્તુકાલ માટે પણ ઘણું જાણીતું છે. મંદિરની આકૃતિઓ અને અને અંદર બનેલ ડીજાઈન લોકોને ખૂબ જ આકર્ષિત કરે છે. તેને રાજા રાજ ચોલ દ્વિતીય દ્વારા બનાવવામાં આવ્યું હતું.
Located in Darasuram, near Kumbakonam, India, the Airavatesvara Temple, a UNESCO World Heritage site, was built by Chola king Rajaraja II in the 12th century C.E. @incredibleindiapic.twitter.com/0sI0NAMfhw
કેવી રીતે નામ પડ્યું ?
આ મંદિરમાં ભગવાન શિવની એરાવતેશ્વર નામે પૂજા કરવામાં આવે છે, કારણકે એવું માનવામાં આવે છે કે ત્યાં ઇન્દ્ર દેવ ના સફેદ હાથી એરાવતે મહાદેવની પૂજા કરી હતી. આ મંદિરનું નામ એ હાથી પરથી રાખવામાં આવ્યું હતું.
A soldier on a Yali!
This magnificent true to life sculpture is in Airavatesvara Temple, Darasuram, near Kumbakonam, TN
મંદિરનું મુખ્ય આકર્ષણ
ભગવાન શિવનું આ મંદિર કળા અને વસ્તુકાળનો ખજાનો છે. માનવામાં આવે છે કે આ મંદિર દ્રવિડ શૈલીમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં વૈદિક અને પૌરાણિક દેવતાઓની કલાકૃતિઓ પણ જોવા મળે છે. અને ખાસ કરીને આ મંદિરને આકર્ષણનું કેન્દ્ર બનાવે છે ત્યાંની સીડીઓ. મંદિરની એન્ટ્રીના દ્વારમાં જ એક પત્થરની સીડીઓ બનેલ છે જેના દરેક પગથિયાંઅનરી અલગ અલગ અવાજ નીકળે છે. ત્યાં તમને સાત સૂર સાંભળવા મળે છે. કોઈ વસ્તુ જ્યારે આ પગથિયાં સાથે અથડાઇ છે ત્યારે તેમાંથી અજવ આવે છે. જો કે આ પગથિયાં ચઢવા કે ઉતરવા પર પણ એ અવાજ સંભળાય છે.