સુરતમાંથી જીવલેણ મેલીયોઇડિસિસ ( melioidosis )રોગના જીવાણું મળી આવ્યા છે. નવસારીના નિવૃત્ત શિક્ષકના ફેફસામાંથી મેલીયોઇડિસિસ રોગના જીવાણું મળી આવ્યા છે. આ રોગ ખુબ જ ગંભીર રોગ છે અને ગુજરાતમાં આ રોગનો આ સૌથી પહેલો કેસ છે. શું છે મેલીયોઇડિસિસ અને કેમ થાય છે? તેમજ તેના લક્ષણો શું છે? આવો જાણીએ.
સુરતમાંથી મળ્યા જીવલેણ રોગના જીવાણું
મેલીયોઇડિસિસ રોગના જીવાણું મળ્યા
નવસારીના નિવૃત શિક્ષકના ફેફસામાંથી મળ્યા જીવાણું
નિવૃત્ત શિક્ષકના ફેફસામાં રસી થઇ જતા તપાસ કરાઇ હતી. ત્યારે તપાસમાં મેલીયોઇડિસિસ ( melioidosis )રોગ હોવાનું સામે આવ્યું. હાલ નિવૃત્ત શિક્ષક સુરતની વિનસ હોસ્પિટલમાં દાખલ છે.
ભારતમાં અત્યારસુધીમાં 585 કેસ
આ રોગ વિયેતનામ, થાઇલેન્ડ અને દક્ષિણ એશિયાના દેશોમાં થાય છે. ત્યારે ગુજરાતમાં સૌ પ્રથમવાર આ રોગનો કેસ નોંધાયો છે. ભારતમાં અત્યારસુધીમાં 585 કેસ મળી આવ્યા છે. જેમાં કર્ણાટકમાં 306 અને તમિલનાડુમાં 146 કેસ નોંધાયા છે.
સામાન્ય રીતે આ સંક્રમણ બુર્કહોલ્ડરિયા સ્યૂડોમલેલી Burkholderia pseudomallei (B. pseudomallei, previously known as Pseudomonas pseudomallei).ના કારણે થાય છે આ જીવાણું પાણી અને માટીમાં હોય છે. સામાન્ય રીતે ખાંસી, ન્યૂમોનિયા, આર્થરગ્લિયા, માયાલગિયા અને તવ્ચાના રોગો થાય છે.