કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ અને સિસોદિયાનું નામ હટાવ્યું છે
કેન્દ્ર સરકારે આ અંગે હજું કોઈ સ્પષ્ટા નથી કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસે આવવાના છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે તેની પત્ની મેલાનિયા ટ્ર્મ્પ અને તેની દિકરી ઈવાંકા પણ આવશે. બીજી તરફ મેલાનિયા ટ્રમ્પ દેશની રાજધાની દિલ્હીના સરકારી સ્કુલમાં પણ જશે. ઉલ્લેખનીય છે કે મેલાનિયાના આ કાર્યક્રમથી હવે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાનું નામ હટાવી દેવામાં આવ્યું છે.
અમેરિકાની પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પનો દિલ્હીના એક સરકારી સ્કુલમાં કાર્યક્રમ થવાનો છે. દિલ્હી સરકારના સૂત્રોના જણાવ્યાનુંસાર કાર્યક્રમ માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના નામને હટાવી દેવામાં આવ્યા છે.
દિલ્હી સરકારનાં સૂત્રોના જણાવ્યાએ દાવો કર્યો છે કે સ્કૂલમાં દિલ્હી સરકાર હસ્તક હોવાના કારણે બન્ને આ કાર્યક્રમમાં ભાગ લેવાના હતાં. જો કે તેમના નામ હટાવી દેવામાં આવ્યાં છે. ત્યારે આપના પ્રીતિ શર્મા મેનને કહ્યું હતું કે ભલે પીએમ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને આમંત્રણ ન આપે પણ તેમનું કામ બોલશે.
ઉલ્લેખનીય છે કે મેલાનિયા ટ્રમ્પ દિલ્હીની એક સરકારી સ્કુલમાં જશે. સ્કુલમાં મેલાનિયા હેપ્પીનેસ ક્લાસ લેશે. પહેલા કેજરીવાલ અને સિસોદિયા મેલાનિયાનું સ્વાગત કરવાના હતા.
ત્યારે બીજી તરફ દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે મેલાનિયા ટ્રમ્પના સરકારી કાર્યક્રમમાં કેજરીવાલ અને સિસોદિયાના જવાને લઈને જણાવ્યુ હતું કે હાલમાં સરકાર પાસે આ અંગે કોઈ માહિતી નથી. આ અંગે કોઈ સૂચના અપાઈ નથી. તો બીજી તરફ ભાજપના સંબિત પાત્રાએ કહ્યું હતું કે આ અંગે પ્રતિક્રિયા આપી નીચી કક્ષાની રાજનીતિ ન થવી જોઈએ.