PNB ઘોટાળા કર્યા બાદ એન્ટિગુઆ ગયેલો મેહુલ ચોક્સી ત્યાથી પણ ગાયબ થઈ ગયો
PNB ઘોટાળાનો આરોપી મેહુલ ચોક્સી એન્ટિગુઆથી પણ ફરાર
ભારતમાંથી 13,500 કરોડ રૂપિયાના કૌભાંડ કરી એન્ટિગુઓ જતો રહ્યો છે
હવે એન્ટિગુઆમાંથી પણ થયો ફરાર
PNB ઘોટાળાનો મુખ્ય આરોપી મેહુલ ચોક્સી ભારતમાંથી એન્ટિગુઆ ભાગ્યા બાદ હવે તે ત્યાથી પણ ગાયબ થઈ ગયો છે. ભારત સરકાર તેને ભારત લાવવા માટે સતત પ્રયત્નો કરી રહી છે. આ વચ્ચે તે એન્ટિગુઆટીમાંથી પણ ભાગી ગયો છે. તેની તપાસમાં એન્ટિગુઆની પોલીસ સતત છાપામારી કરીને કાર્યવાહી કરી રહી છે. એન્ટિગુઆની એક વેબસાઈટ પર આ વિશે ખબર છાપવામાં આવી છે. મેહુલના વકીલ વિજય અગ્રવાલે મીડિયાને જણાવ્યું કે મેહુલના પરિવારના એક સદસ્યએ તેમના ગાયબ થવાની ખબર આપી છે. મેહુલ ડિનર કરી રહ્યો હતો. ત્યાર બાદ ત્યાં ફક્ત તેની કાર મળી અને તે ગાયબ હતો.
છેલ્લે અહીં જોવા મળ્યો હતો ભાગેડુ મેહુલ ચોક્સી
જાણકારી અનુસાર મેહુલ રવિવારે સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ જોલી હાર્બર કમ્યુનિટીની પાસે કામમાં જોવા મળ્યો હતો. તે દ્વીપના દક્ષિણ વિસ્તારમાં સ્થિત એક ચર્ચિત રેસ્ટોરન્ટમાં ડિનર કરવા માટે ગયો હતો. ત્યાર બાદથી તેની કોઈ જાણકારી મળી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ચોક્સીના ગાયબ થવાની ખબર બાદ CBIના મામલાને સંજ્ઞાનમાં તા એન્ટિગુઆટીના દુતાવાસ સાથે સંપર્ક કર્યો છે. સાથે જ આ તથ્યોની પુષ્ટી કરવામાં આવી રહી છે.
મેહુલ ચોક્સીએ કર્યો છે કરોડોનો કૌભાંડ
મેહુલ ચોક્સી પર PNBમાં 13,500 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. મેહુલે 2013માં શેર બજારમાં હેરાફેરી કરીને આ ફ્રોડ કર્યો હતો. તેના વિરૂદ્ધ વોરન્ટ નિકળ્યુ છે. પરંતુ આ વચ્ચે તે એન્ટિગુઆ ભાગી ગયો છે. તપાસ એજન્સીએ તેને ભાગેડુ જાહેર કરી દીધો છે. હાલમાં તેની 2,500 કરોડની સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી છે.