એન્ટીગુઆના PM ગેસ્ટન બ્રાઉને મેહુલ ચોક્સી પર મોટું નિવેદન આપ્યું છે. તેઓએ મેહુલ ચોક્સીને વિશ્વાસઘાતી ગણાવ્યો છે. એટલું જ નહીં તેઓએ કહ્યું કે ભારતીય એજન્સી એન્ટીગુઆ આવીને પૂછપરછ માટે સ્વતંત્ર છે. ક્યાં સુધી મેહુલ ચોક્સી કાયદાકીય દાવ પેચથી પોતાને બચાવશે? ચોક્સીના કારણે સિટિઝનશિપ બાય ઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામને નુકસાન થયું છે. જેના હેઠળ ચોકસીએ એન્ટીગુઆની નાગરિકતા મેળવી હતી. અમે સ્પષ્ટ કહીએ છીએ કે મેહુલ ચોક્સીએ પરત જવું પડશે.
મેહુલ ચોકસીને પોતાને દેશ પરત જવું જ પડશે
ભારતીય એજન્સી એન્ટીગુઆ આવીને પૂછપરછ માટે સ્વતંત્ર
સિટિઝનશીપ બાય ઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામને થયું નુકસાન
મેહુલ ચોકસી વિશ્વાસઘાતી છેઃ ગેસ્ટન બ્રાઉન
ભારતીય તપાસ એજન્સીઓ એન્ટીગુઆમાં પૂછપરછ માટે સ્વતંત્ર
પંજાબ નેશનલ બેંક ઘોટાળા (PNB SCAM)માં આરોપી મેહુલ ચોકસીને લઈને એન્ટીગુઆના પીએમ ગેસ્ટન બ્રાઉને મોટું નિવેદન આપ્યું છે. ગેસ્ટન બ્રાઉને મેહુલ ચોકસીને દગાખોર કહ્યા અને સાથે કહ્યું કે ભારતીય તપાસ એજન્સીઓ એન્ટીગુઆ આવીને મેહુલ ચોકસીને પૂછપરછ કરવા માટે સ્વતંત્ર છે. ગેસ્ટન બ્રાઉને કહ્યું કે મેહુલ ચોકસીને પોતાના દેશ પરત જવું પડશે અને એ તો સમયની વાત છે કે તેઓ પોતાને કાયદાકીય દાવ પેચથી કેટલો સમય દૂર રાખી શકે છે.
પીએમ બ્રાઉને જણાવ્યું કે મેહુલ ચોકસીના કારણે કેવી રીતે સિટિઝનશીપ બાય ઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામનો ઉપયોગ કરીને તેઓએ નાગરિકતા મેળવી. તેઓએ કહ્યું કે ભારતીય અધિકારીઓએ અમને ચોક્કસ સમયે સૂચિત કર્યા નથી પણ અમે સ્પષ્ટ છીએ કે ચોકસીએ પરત જવું પડશે.
#WATCH Antigua & Barbuda PM Gaston Browne: Got subsequent information that Mehul Choksi is a crook, he doesn't add value to our country. He will be deported ultimately after he exhausts appeals, Indian officials are free to investigate based on his willingness to participate. pic.twitter.com/FbAaIml0Fv
પીએમ બ્રાઉને સમય તો જણાવ્યો નથી કે ચોકસી ક્યારે ભારત આવશે પણ કિસ્સો ન્યાયપાલિકાને આધીન છે. તેમના નિવેદનોથી ચોકસીના પ્રત્યાર્પણની સમસ્યાઓને તાકાત મળે છે. ગેસ્ટન બ્રાઉને ચોકસીની નાગરિકતાને રદ્દ કરવાનું એલાન કર્યું હતું. પરંતુ આ પગલું ભારતના દબાણમાં લીધું હતું. પીએનબી ગોટાળાના નીરવ મોદી અને મેહુલ ચોકસી પર 13 હજાર કરોડના ગોટાળાનો આરોપ છે. કિસ્સો 2018માં સામે આવ્યો હતો.