ઝુલાસણના 3 હજારથી વધુ લોકો અમેરિકામાં, મંદિરે 80 ટકા લોકો આવે છે વિઝા માટે, મંદિરમાં મુસ્લિમ દેવીની પૂજા
ગુજરાતનું અનોખું મંદિર
માનતા રાખવાથી મળે છે વિઝા
800 વર્ષ જુનો છે મંદિરનો ઈતિહાસ
દાંલાં માતા લોકોની મનોકામના કરે છે પૂર્ણ
વિદેશ જવાનું સપનું તો સૌકોઈનું હોય છે. પણ વિઝા નથી મળતા. પરંતુ આજે જે કહાની અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ. તે જાણીને તમે પણ દોડી જશો. કારણ કે, ગુજરાતમાં એક એવું મંદિર આવેલું છે. જ્યાં માનતા રાખવાથી વિઝા મળી જાય છે. ત્યારે ક્યાં આવ્યું છે આ મંદિર. અને શું છે તેનો રસપ્રદ ઈતિહાસ આવો જોઈએ.
વિઝા મેળવવા લોકો રાખે છે માનતા
દેશમાં હજારો મંદિરો એવા છે. જેમની કોઈને કોઈ વિશેષતા છે. દરેક મંદિર સાથે લોકોની અલગ જ માન્યતાઓ અને આસ્થા જોડાયેલી છે. અને આવું જ એક મંદિર આપણા ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવ્યું છે. જ્યાં માનતા રાખવાથી. વિદેશના વિઝા મળી જાય છે. ? આ કોઈ હસી મજાક નથી. પરંતુ મહેસાણાથી લગભગ 40 કિલોમીટર દૂર ઝૅલાસણ ગામમાં દાંલાં માતાજીનું મંદિર આવેલું છે. અને આ મંદિરમાં માતાજીની માનતા રાખવાથી વિદેશ જવા ઈચ્છતા લોકોને વિઝા મળી જાય છે.
દરેક ઘરમાંથી એક વ્યક્તિ વિદેશમાં, 3 હજારથી વધુ લોકો અમેરિકામાં
અહીં નવાઈ લાગતી હશે. પરંતુ આ વાત સાચી છે. આ ગામમાંથી ઘરદીઠ એક વ્યિક્ત વિદેશમાં સ્થાઈ થયેલ છે. અને આ બધું દાંલાં માતાજીના આશિર્વાદથી થયું હોવાનું માનવામાં આવે છે. મંદિરમાં જેટલા પણ લોકો આવે છે. તેમાંથી 80 ટકા લોકો વિઝા માટે આવે છે. એટલું જ નહીં અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સનું પણ આ પૈતૃક ગામ છે. અને જ્યારે સુનિતા વિલિયમ્સના અંતરિક્ષયાનમાં ખામી સર્જાઈ હતી. ત્યારે ઝૅલાસણના લોકોએ તેના માટે અંખડ જ્યોત અને ધૂન બોલાવી હતી. અને ત્યાર પ]ાૃ અંતરિક્ષમાંથી હેમખેમ પરત પહોંચ્યા બાદ સુનિતા વિલિયમ્સે ઝૅલાસણ ખાતે આવી દાંલા માતાનાં દર્શન કર્યા હતાં.
શું છે ઈતિહાસ?
ઝૅલાસણ ગામ અને દાંલાં માતાના ઈતિહાસ અંગે વાત કરવામાં આવે તો. લોકવાયકા મુજબ પહેલાંના જમાનામાં ગામમાં લૂંટારાઓ આવતા હતા અને ગામને લૂંટીને જતા રહેતા હતા. ત્યારે પાડોશના ગામમાંથી પસાર થતી એક મુસ્લિમ મહિલાએ જોયું કે ઝુલાસણ ગામમાં લૂંટ મચી છે. તેઓ ત્યાં જ રોકાઈ ગયાં અને લૂંટારુઓ સામે બાથ ભીડી. આ દરમિયાન લડતાં-લડતાં તેઓ મૃત્યુ પામ્યાં હતા. 800 વર્ષ અગાઉ ઝુલાસણ ગામમાં હાલ જ્યાં મંદિર છે એ સ્થળ એક માટીનું યંત્ર નીકળ્યું હતું. ત્યાર બાદ ગામલોકો આ યંત્રને દેવી તરીકે પૂજા કરતા આવ્યા છે. જેમ જેમ લોકો માનતા માનવા લાગ્યા અને તેમનાં કામ પૂરાં થતાં ગયાં એમ એમ લોકોમાં વધુ આસ્થા જાગી. આ મંદિરમાં લોકવાયકા મુજબ મુસ્લિમ દેવી પૂજાય છે અને મંદિરમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો દર્શન અને માનતા માનવા આવે છે.
કોમી એખલાસનું પ્રતીક છે ઝુલાસણ
આ મંદિરમાં હિન્દુઓ માતાજીને સુખડી અને શ્રીફળ ચડાવે છે. જ્યારે મુસ્લિમ સમાજ ચાદર ચડાવે છે. નવાઈની વાત એ છે કે, ઝૅલાસણ ગામમાં એકપણ મુસ્લિમ પરિવાર નથી રહેતો. છતાં અહીં આ મંદિરમાં હિન્દુ મુસ્લિમ સાથે મળીને પુજાપાઠ કરે છે. તમે પણ જો વિદેશ જવાના સપના જોતા હોય તો વિઝા માટે જરૂરથી દર્શન માટે આવી શકો છો.