કોરોનાની બીજી લહેરમાં એકા-એક ગ્રામ્ય વિસ્તારમાં વધતા કેસને લઈ મહેસાણાના ઊંઝામાં વેપારી સંગઠને સ્વૈચ્છિક લોકડાઉનની કરી જાહેરાત, દૂધ અને મેડિકલની દુકાનો રહેશે ખુલી
મહેસાણાના ઊંઝામાં વેપારી એસો.નો નિર્ણય
સ્વૈચ્છિક લોકડાઉન લગાવવાનો કર્યો નિર્ણય
દૂધની દુકાન અને મેડિકલ સ્ટોર રહેશે ખુલ્લા
મહેસાણાના ઊંઝામાં આવતીકાલથી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરી દેવાયું છે. વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરાયો છે. દૂધની દુકાન અને મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. કોરોનાની સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી દુકાનો બંધ રહેશે.
તો બીજી તરફ મહેસાણામાં સાંઇ ક્રિષ્ના હોસ્પિટલમાં કોવિડ સારવાર શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. DyCM નીતિન પટેલે આ અંગેનો આદેશ કર્યો છે. 24 કલાકમાં હોસ્પિટલ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. કોવિડ હોસ્પિટલ ન હોવાથી દર્દીઓને હાલાકી પડી રહી છે. વેન્ટિલેટર અને ઓક્સિજન સાથેની હોસ્પિટલ કાર્યરત કરવા આદેશ થયા છે.
મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ ગતિમાન
છેલ્લા 24 કલાકમાં 131 પોઝિટિવ કેસ નોંધાયા
શહેરી વિસ્તારમાં 61 પોઝિટિવ કેસ નોંધાયા
ગ્રામ્ય વિસ્તારમાં 70 પોઝિટિવ કેસ નોંધાયા
હજુ પણ જિલ્લામાં 1303 રિપોર્ટ પેન્ડિંગ
હાલમાં જિલ્લામાં કુલ એક્ટિવ કેસ 1377
જિલ્લામાં તમામ હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા
તો આ સાથે મહેસાણાનું ઊંઝા માર્કેટયાર્ડ 14 એપ્રિલથી 21 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવશે. કોરોનાના વધતા જતા સંક્રમણને લઈ આ નિર્ણય લેવાયો છે. વેપારી એસોસિએશન અને માર્કેટયાર્ડની મિટિંગમાં નિર્ણય લેવાયો છે. માર્કેટયાર્ડ સાથે આજુબાજુની ક્લિનિંગ કરતી ફેકટરીઓ પણ બંધ કરાઇ છે.
મહેસાણાના યાત્રાધામ શંખલપુર મંદિર દર્શન માટે બંધ રહેશે. 14 એપ્રિલ થી 30 એપ્રિલ સુધી મંદિર દર્શન માટે બંધ રહેશે. ચૈત્રી નવરાત્રીની ભારે ભીડ સર્જાતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા મંદિર ટ્રસ્ટે આ નિર્ણય કર્યો છે. શંખલપુર મંદિર ટ્રસ્ટ દ્વારા લોકોને કોરોનાથી બચવા ઘરમાં રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
ચૈત્રી નવરાત્રીમાં શક્તિપીઠ અંબાજી બંધ રહેશે
ચૈત્રી નવરાત્રીમાં શક્તિપીઠ અંબાજી બંધ રહેશે. અંબાજી મંદિર દર્શનાર્થી માટે બંધ કરાયા છે. જે 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રખાશે. કોરોના સંક્રમણને ધ્યાને રાખીને નિર્ણય લેવાયો છે. અંબિકા ભોજનાલય અને વિશ્રામગૃહ પણ બંધ રહેશે. આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે.