વન રક્ષક પરીક્ષાનું પેપર ફૂટવા મામલે ક્લાસમાં હાજર સાક્ષીએ કહ્યું મેડમ અને ઉપલા અધિકારીએ જવાબો ખોટા છે તેમ કહીને ચિઠ્ઠી ફાડી નાંખી અમે જોયું તો જવાબ સાચા હતા.
ઉનાવામાં વન રક્ષકનું પેપર ફૂટયુ
લાખો ઉમેદવારો નિરાશ
ઉમેદવાર પાસે ક્યાંથી આવ્યા જવાબ ?
રાજ્યમાં વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટવાની ઘટના સામે આવી છે.મહેસાણાના ઉનાવાના પરીક્ષા કેન્દ્રમાં એક ઉમેદવાર પરીક્ષાના સવાલોના જવાબો સાથેની એક કાપલી સાથે ઝડપાતા ભારે વિવાદ થઇ ગયો હતો.સાથી ઉમેદવારે આ વિદ્યાર્થીને પરીક્ષામાં ગેરરીતિ કરતા ઝડપી પાડ્યો હતો.તથા વર્ગ નિરીક્ષકને જણાવતા સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ થયો હતો.પરંતુ પરીક્ષામાં હાજર ઉમેદવારોએ ઉગ્ર વિરોધ નોંધાવતા સમગ્ર માહિતી સામે આવી હતી.
વિસનગરથી આવનારા ઉમેદવાર ઉર્વિશ મોદીએ કર્યો ખુલાસો
વનરક્ષક પેપરમાં થયેલી ગેરરીતિને લઇને સૌથી મોટો ખુલાસો વિસનગરથી આવનારા ઉમેદવાર ઉર્વિશ મોદીએ કર્યો છે. તેમના આરોપ મુજબ એક વિદ્યાર્થી બહારથી સાહિત્ય લઇને આવેલા વ્યક્તિને રાજુ ગઢવીએ પકડી લીધો તે બાદ ઉમેદવાર જે ચિઠ્ઠી લઇને આવ્યો તેના વિશે મેડમને ફરિયાદ કરી હતી. પણ મેડમ અને ઉપલા અધિકારીએ જવાબો ખોટા છે તેમ કહીને ચિઠ્ઠી ફાડી નાંખી હતી. અમે જવાબ ચેક કરવા ચિઠ્ઠી માગી હતી જેમાં સાક્ષી ઉર્વિશ મોદીએ જણાવ્યું કે અમે જવાબ ચેક કર્યા તો જવાબો બધા સાચા હતા. સવાલ એ છે કે D સિરિઝનું પેપર હોવાની જાણ ક્યાંથી થઇ? ક્રમબદ્ધ સાચા જવાબો ક્યાંથી પહોંચ્યા? અમને શંકા છે કે અંદરનું કોઇ આમની સાથે સંડોવાયેલું છે. બીજા ક્લાસમાં જવાબો લખાવતા હોવાની અમને જાણ થઇ છે?
સરકાર તરફથી શું પ્રતિક્રિયા?
રાજ્ય સરકારના પ્રવકતા જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું છે કે ગુજરાત યુનિવર્સિટીને પરીક્ષા લેવાની જવાબદારી સોંપાઇ હતી. કેટલાક લોકો ઉમેદવારોને ગેરમાર્ગે દોરવાનુ કામ કરે છે બહાર નીકળેલા યુવાન પાસેથી ચીઠ્ઠી મળે તેને મતલબ આવો નથી કે પેપર ફુટ્યુ, જેની પાસેથી સાહિત્ય મળ્યુ છે તેની સામે કાર્યવાહી થશે કારણ કે આ કોપી કેસ નો કેસ છે. સાથે જ કહ્યું હતું કે ઉમેદવાર પર કોપી કેસ કરાયો છે પણ પેપર નથી ફૂટ્યુ. પરીક્ષા શરૂ થયાના 2 કલાક બાદ કોપીકેસ કરાયો હોવાની માહિતી પણ શિક્ષણ મંત્રી અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આપી છે. તથ્ય સામે આવશે તો કાર્યવાહી કરવા તૈયાર હોવાનો પણ દાવો કર્યો છે.
પેપર ફોડનારનો માસ્ટર કોણ ?
શ્રી નાગરિક મંડળ સેન્ટરમાં પેપર ફોડનાર કોણ છે ?
પરીક્ષાર્થીને શ્રી નાગરિક મંડળમાંથી પેપર કોણે આપ્યું ?
પેપર આપનાર પાસે જવાબ હતા તો તે જવાબ ક્યાંથી આવ્યા ?
પેપર પરિક્ષાર્થી સામે જ ખૂલે છે તો મંડળની ઓફિસમાં પેપર ક્યાંથી આવ્યું ?
20 મીનિટમાં તમામ જવાબો મળી ગયા તો મંડળમાં આટલું હોશિયાલ કોણ બેઠું હતું ?
પેપરના જવાબ બીજા પરિક્ષાર્થી પાસે નથી ગયા તેના ગેરંટી શું છે ?
જવાબ લખાવનારે બીજા પરિક્ષાર્થીને જવાબ નથી મોકલ્યા તેની ગેરંટી શું ?
કયા કઈ પરીક્ષાના પેપર ફૂટ્યા?
2014- ચીફ ઓફિસર
2015- તલાટીની પરીક્ષા
2018- મુખ્ય સેવિકાની પરીક્ષા
2018- નાયબ ચિટનિસની પરીક્ષા
2018- લોક રક્ષક દળ
2019- બિન સચિવાલય ક્લાર્ક
2021- હેડ ક્લાર્ક
સરકાર ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરે: પ્રવીણ રામ, આપ નેતા
પેપર ફૂટવા મામલે AAP પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામે સરકાર પર આરોપ કરતાં કહ્યું કે ભાજપના રાજમાં પેપર ફૂટવા એ સામાન્ય બાબત થઈ ગઈ છે.પેપર નિષ્પક્ષ ન લઈ શકાતા હોય તો સરકારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. મારાથી નિષ્પક્ષપણે આયોજન ન થતું હોય તો અમારા જેવા યુવાનો પરીક્ષાઓનું આયોજન કરવા તૈયાર છે તેવો પણ ટોણો માર્યો હતો. સાથે જ કટાક્ષ કરતાં કહ્યું હતું કે ભાજપ માટે હવે કોઈ સારા શબ્દો બચ્યા નથી
VTV ગુજરાતીના સળગતા સવાલો
વારંવાર કેમ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ફૂટે છે?
સરકારી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં કેમ થાય છે?
કાયમી પેપરને ફોડવા માટે કઇ ગેંગ સક્રિય છે?
પરીક્ષાના પેપરની ગોપનિયતા કેમ નથી જળવાતી ?
પેપર જ્યાં રખાય છે ત્યાંની સિક્યુરિટીની કેમ નથી કરાતી પુર્તતા?
પેપરો ફોડનારા સામે કડક કાર્યવાહી કેમ નથી થતી?
પરીક્ષાનું સેન્ટર આપવા પહેલા ચકાસણી કેમ નથી કરાતી?
સરકાર મન ફાવે તેમ સેન્ટરો કેવી રીતે ફાળવી દે છે?
શ્રી નાગરિક મંડળના લેટર પેડનો ઉપયોગ થયો છે, તો તે અંગે કાર્યવાહી થશે?
શ્રી નાગરિક મંડળની સંડોવણી આવે તો કેવી કાર્યવાહી કરાશે?