મહેસાણા: રાજ્યના 7 જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. ખેડૂતો માટે સરકાર દ્વારા કડાણા ડેમમાંથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવ્યુ છે.
ખેડૂતોની માગને લઈને સરકાર દ્વારા પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ 28 ફેબ્રુઆરી સુધી કેનાલમાં પાણી છોડવામાં આવશે. જેનો લાભ મહીસાગર અરવલ્લી ખેડા આણંદ મહેસાણા સહીતના ખેડૂતોને લાભ મળશે.
#Gujarat ના 7 જિલ્લાના #Farmers માટે ખુશીના સમાચાર
કડાણા ડેમમાંથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાયુ
28 ફેબ્રુઆરી સુધી કેનાલમાં પાણી આપવા સરકારનો નિર્ણય
મહીસાગર અરવલ્લી ખેડા આણંદના ખેડૂતોને મળશે પાણી#Mehsana સહીતના ખેડૂતોને પણ મળશે પાણી pic.twitter.com/CsZnTsMl1f
થોડા સમય પહેલા પણ છોડવામાં આવ્યું પાણી
રાજ્યમા 7 જીલ્લાના ખેડૂતો માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શિયાળુ સિઝન માટે સરકાર દ્વારા પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કડાણા ડેમની સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવામાં આવેલ. કેનાલમાંથી 100 ક્યુસેક પાણી છોડાશે. સાંજ સુધીમાં કેનાલમાંથી 450 ક્યુસેક પાણી છોડાયું હતું. કેનાલમાંથી પાણી છોડાતા મહેસાણા અરવલ્લી ખેડા આણંદ અને મહિસાગર જિલ્લાના ખેડૂતોને લાભ મળ્યો.
ખેડૂતોએ પાણી આપવા કરી હતી માંગ
એક તરફ ચાલુ સીઝનમાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ ઓછો નોંધાયો હતો. જેના કારણે ઉનાળા પહેલા ભર શિયાળે ઘણા વિસ્તારોમાં પાણીની તંગી સર્જાતા ખેડૂતો પરેશાન થઇ ગયા હતા અને રાજ્ય સરકારને પાણી આપવા માટે અરજ કરી હતી ત્યારે આ મામલે રાજ્યની રૂપાણી સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લઇને પાણી પુરૂ પાડવા વ્યવસ્થા કરી હતી.