બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'હું નર્મદા કેનાલમાં પડું છું..' સંબંધીને ફોન પર જાણ કરી મહેસાણામાં શિક્ષકની આત્મહત્યા
Last Updated: 04:32 PM, 9 January 2025
મહેસાણામાં એક શિક્ષકે નર્મદા કેનાલમાં ઝંપલાવતા ચકચાર મચી છે. દસાડા તાલુકાની ઉમરીયાડા શાળામાં ફરજ બજાવતા વાસુભાઈ પટેલ નામના શિક્ષકે આત્મહત્યા કરવાના હેતુથી કેનાલમાં ઝંપલાવ્યું હુતું.
ADVERTISEMENT
આત્મહત્યા કરવાના હેતુથી કેનાલમાં ઝંપલાવ્યું
કેનાલમાં પડતાં પહેલાં તેમણે સંબંધીને ફોન કરીને જાણ પણ કરી હતી. જે બાદ કડીના બલાસર નજીકથી પસાર થઈ રહેલી કેનાલ પર પહોંચ્યા અને કાર કેનાલની પાસે મૂકીને કેનાલમાં પડતું મૂક્યું. ઘટના અંગે જાણ થતાં કડી પોલીસ કેનાલ પર પહોંચી ગઈ અને તરવૈયાઓની મદદથી કેનાલમાં પડેલા શિક્ષકની શોધખોળ હાથ ધરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: અમેરિકાના ન્યૂયોર્કમાં સુરતના ઉદ્યોગપતિની ધરપકડ, 53 વર્ષની થઈ શકે જેલ, કેસ શક્તિશાળી
શાને આવું પગલું ભરો છો ?
વર્તમામાં લોકોની માનસિક્તા નબળી બનતી જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ત્યારે નાની નાની વાતમાં જીંદગી ટૂંકાવવા સુધીનો નિર્ણય કરી બેસે છે, પરિવારનું વિચાર્યા સિવાય તેમજ જિંદગીમાં આવતી સામાન્ય મુશ્કેલીને નિવારવાના બદલે જિંદગી ટૂંકાવવા સુધીનો વિચાર લાવી બેસે છે, જેનો પરિણામ પરિવારજનોને ભોગવવો પડતો હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.