સરકારી પરીક્ષાઓમાં ગેરરીતીના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે ફરી એકવાર મહેસાણામાં વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતી થતા થઇ હોવાનુ સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે. જે શખ્સો શંકાના દાયરામાં હતા તે લોકો જ મુખ્ય આરોપીઓ હોવાનો ખુલાસો થયો છે.
રાજુ ચૌધરી મુખ્ય આરોપી
મહેસાણાના ઉનાવામાં વનરક્ષક પરીક્ષા યોજાઇ હતી. જેમાં લેટરપેડ પર સવાલના જવાબો લખેલા મળી આવતા મામલો ગરમાયો હતો. જે મામલે હોબાળો થતા પ્યુન દ્વારા લેટરપેટ સળગાવી દેવામાં આવ્યું પરંતુ આ ઘટનામાં રાજુ ચૌધરી નામનો શિક્ષક ગેરરીતિનો મુખ્ય આરોપી હોવાનો ખુલાસો થયો છે. સુમિત ચૌધરીને સવારે 9 વાગે શાળાના ધાબા પર બેસાડાયો હતો. તેને પેપર સોલ્વ કરવાની જવાબદારી સોંપાઈ હતી. માયા ઉર્ફે મનીષા ચૌધરીને પાસ કરાવવા આ ષડયંત્ર રચ્યું હતું. શાળાના પટ્ટાવાળા એટલે કે પિયુષ ઘનશ્યામ ભેમજીભાઇએ ગેરહાજર વિદ્યાર્થીના પેપરના ફોટો પાડ્યા હતા અને તે ફાટા પાડીને રાજુ અને સ્મિતને મોકલ્યા હતા.
રવિ મકવાણા ઝડપાતા ગેરરીતિનો પર્દાફાશ થયો
રાજુ ચૌધરીએ માયા ચૌધરીને પાસ કરાવવા માટે આખુ ષડયંત્ર રચ્યુ હતું. રાજુ જ્યારે જવાબની કોપી આપવા ગયો ત્યારે રવિ મકવાણા પાણી પીવા આવ્યો હતો અને તેણે રાજુને કોપી કરાવતા જોઇ લીધો. ત્યારબાદ આરોપીઓએ રવિ મકવાણાને પણ જવાબ આપ્યા હતા. જો કે રવિ મકવાણા પકડાઇ જતા સમગ્ર ગેરરીતીનો પર્દાફાશ થયો હતો.
સુપરવાઇઝરે માયા ચૌધરીને કરી હતી મદદ઼
માયા ચૌધરીને પાસ કરાવવા સુપરવાઈઝરે પણ મદદ કરી હતી. માયા ઉર્ફે મનીષા ચૌધરીએ જવાબ સાથે આખેઆખુ પેપર લખી નાખ્યું હતું. જ્યારે આ કૌભાંડ થયુ હોવાની જાણ થતા શાળામાં હોબાળો મચ્યો હતો. અને પટ્ટવાળાએ જવાબો લખેલો કાગળ સળગાવી દીધો હતો. હાલ આ સમગ્ર મામલે વિસનગર DySP અતુલ વાળંદને તપાસ સોંપવામાં આવી છે.
8 શખ્સો સામે નોંધાઇ ફરિયાદ
સમગ્ર મામલે ઉનાવા પોલીસે 8 શખ્સો સામે ફરિયાદ નોંધી છે રાજુ ચૌધરી, સુમિત ચૌધરી, મૌલિક ચૌધરી સામે ફરિયાદ નોંધવામાં આવી. આ ઉપરાંત મનીષા ચૌધરી, જગદીશ ચૌધરી, ઘનશ્યામ પટેલ અને અલ્પેશ પટેલ તથા રવિ મકવાણા સામે ફરિયાદ નોંધાઇ છે.રાજુ, સુમિત, ઘનશ્યામ, અલ્પેશે સાથે મળીને કાવતરૂ રચ્યું હતું. પ્રશ્નપત્રના મોબાઇલથી ફોટા પાડી વોટ્સએપથી બહાર મોકલ્યું હતું. વળી પેપરના જવાબો તૈયાર કરીને પરીક્ષાર્થીઓને મોકલ્યા હતા. તેમજ જવાબ લખેલા કાગળો પણ સળગાવી દેવામાં આવ્યા હતા. પુરાવાનો નાશ કરી દેવા મામલે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સમગ્ર મામલે ઓબઝર્વર ડૉ.અંકિત પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી..
રાજ્યમાં વન રક્ષક વર્ગ-3ની પરીક્ષામાં ગેરરીતિ સામે આવી હતી. ઉનાવા શ્રી નાગરિક મંડળ સેન્ટર પર પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. નાગરિક મંડળના 10 વર્ષ જૂના લેટર પેડ પર પરીક્ષા શરૂ થાય તે અગાઉ પ્રશ્નપત્રના જવાબ ફરતા થયા હતા. પરીક્ષામાં પાણી પીવા બહાર આવેલો 10 નંબરના બ્લોકનો વિદ્યાર્થી જવાબ સાથે રૂમમાં પ્રવેશ્યો હતો. રૂમમાં જવાબ સાથે આવતા સાથી ઉમેદવારે પરીક્ષાર્થીને પકડતા ભાંડો ફૂટ્યો છે. સાથી ઉમેદવારે આ વિદ્યાર્થીને પરીક્ષામાં ગેરરીતિ કરતા ઝડપી પાડ્યો હતો. તથા વર્ગ નિરીક્ષકને જણાવતા સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ થયો હતો. પરંતુ ઘટનાને પગલે અન્ય પરિક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો છે.