છેલ્લા દસ વર્ષમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ 58 નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, જુથવાદ સામે ઝઝૂમી રહેલા કોંગ્રેસમાંથી ચૂંટણી ટાણે હજુ પણ વધુ નેતાઓ ભાજપમાં જોડાશે તેવી શક્યતા
મહેસાણા કોંગ્રેસમાં વધુ એક ભંગાણ
નારાયણ પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું
આજે નારાયણ પટેલ ભાજપમાં જોડાયા
છેલ્લા કેટલાય દિવસથી એક પછી એક નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. એક તરફ ભાજપ કહે છે કે,કોંગ્રેસ મુક્ત કરી રહ્યા છે,જ્યારે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ યુક્ત બની રહી છે. ત્યારે કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે. મહેસાણા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મંત્રી નારાયણ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. અને સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા છે.
વિકાસથી પ્રેરાઇને ભાજપમાં જોડાયો: નારાયણ પટેલ
37 વર્ષથી કોંગ્રેસ સાથે સંકળાયેલા નારાયણ પટેલ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો છે. કોંગ્રેસમાં થતી અવગણનાને આગળ ધરી કોંગ્રેસનો હાથ છોડી ભાજપના કમળમાં સવાર થવાનું નક્કી કરી લીધું છે.રાજીનામું આપતી વખતે નારાયણ પટેલે કહ્યું કે કોંગ્રેસમાં રહી ગરીબ લોકોના કામ ના કરી શક્યો,ભાજપ દ્વારા કરાયેલા વિકાસથી પ્રેરાઇને ભાજપમાં જોડાઇ રહ્યો છું. મહત્વનું છે કે દિગ્ગજ નેતાઓ અને કાર્યકરોની નારાજગીને લઇ આવનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને અસર વર્તાશે.
પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માના ભાજપ પ્રવેશ પર સી.આર.પાટીલનું નિવેદન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા અને શહેર કોંગ્રેસના પદાધિકારીઓ આજે સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા છે.દિનેશ શર્માએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, એસીમાં બેસી રહેનારા લોકો પાર્ટી ચલાવી રહ્યા છે.અને રાહુલ ગાંધી એ કહ્યું કે માત્ર 25 કાર્યકર્તાઓ મળી જાય તો ચૂંટણી જીતી જાશે જેને લઈને પણ દિનેશ શર્મા એ કહ્યું હતું કે એ 25 લોકો જ ભૂંકપ લાવશે અને જો ભૂકંપ આવે તો વિનાશ જ થાય અને કોંગ્રેસ વિનાશ તરફ આગળ વધી રહી છે.સાથે જ સી આર પાટીલે પણ કોંગ્રેસ પર આક્ષેપ કર્યા હતા અને કોંગ્રેસ માંથી ભાજપ માં જોડાનારા નું સ્વાગત કર્યું હતું.
છેલ્લા દસ વર્ષમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ 58 નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા
જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે ત્યારે કોંગ્રેસ તૂટે અને ભાજપમાં જોડાઇ હોય તે પ્રકારની બાબતો સામે આવે છે.એક દાયકાની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપનું કમળ પકડી રહ્યા છે. છેલ્લા દસ વર્ષમાં કોંગ્રેસના દિગ્ગજ 58 નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ ચૂક્યા છે.જેમાં ધારાસભ્ય, સંસદ સભ્ય હોય સહકાર ક્ષેત્રે જોડાયેલા હોય તેવા નેતાઓ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા હોવાના પુરાવા છે. આમ તો ગુજરાતમાં મોટા પ્રમાણમાં કોંગ્રેસ તૂટવાની શરૂઆત 2007થી થઈ છે. રાજ્યસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય તે સમયે નારાજગીનું ઊઠે અને કોંગ્રેસનું ભંગાણ થઈ અને ભાજપમાં ભળે છે,જેને ભાજપનાં નેતાઓ ભાજપનાં સશનની સ્પષ્ટ છબી ગણાવે છે.
જો આવું રહ્યું તો વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો 'હાથ' નિર્બળ બનશે
2007 હોય 2012 હોય કે પછી રાજ્યસભાની ચૂંટણી આવતી હોય કોંગ્રેસ છોડીને ભાજપમાં આવવાનો સીલસીલો 2022માં પણ જોવા મળી રહ્યો છે. તોડજોડની રાજનીતિમાં માહેર ભારતીય જનતા પાર્ટી 2022માં વિધાનસભાની ચૂંટણીમાં કેવું પરિણામ લાવે છે, કોગેમાંથી ભાજપમાં જોડાયેલા નેતાઓ કેટલો સહયોગ મળે છે,27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન 2022માં અકબંધ રહે છે કે પછી રેકોર્ડ બ્રેક પરિણામ સાથે ફરી એકવાર વિજય બને છે કે કેમ તેની પર સૌ કોઈની મીટ મંડાયેલી છે. વર્ષોથી કામ કરી રહેલા કાર્યકર્તાઓનું આમ જ કોંગ્રેસ છોડીની ચાલ્યા જવાનું જો સતત ચાલ્યા જ રહ્યું તો વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી સત્તાનું સપનું સપનું રહે તો નવાઈ નહીં. કારણ કે ચૂંટણી યુદ્ધ લડવા રાજા સેનાપતિ અને સૈનિકો ત્રણેય મજબૂત હોવા જરૂરી છે.