મહેસાણાઃ ગરીબો માટેની કેન્દ્ર સરકારની મનરેગા યોજના ગ્રામીણ ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર માટેનો અખાડો બની છે. મહેસાણાના સતલાસણામાં મનરેગા યોજનામાં રૂ.5 કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે.
સતલાસણાના વનવિભાગ હસ્તકના કામોમાં રૂ.5.80 કરોડના ખોટા બિલ રજૂ કરી કૌભાંડ આચરાયું હોવાનું સામે આવ્યું છે. સતલાસણાના ફોરેસ્ટર વી.કે ચૌધરીએ આ કૌભાંડ અંગે પોલિસ ફરિયાદ નોંધાવી છે.
આ બાબતે આદ્ય કન્સ્ટ્રક્શન કંપનીના માલિક અને વનવિભાગના કર્મચારીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.