મલારપુર ગામે આધેડે વ્યાજખોરોને કારણે ટૂંકાવ્યુ જીવન
વ્યાજખોરોને પોલીસ બચાવતી હોવાનો પરિવારનો આરોપ
વ્યાજખોરોને કાબુમાં લેવા સરકાર દ્વારા પણ અનેક કાયદાઑ ઘડવામાં આવ્યા છે. છતાં આ વ્યાજખોરો એટલી હદે બેફામ બન્યા છે. કે આજે વ્યાજના ચુંગલમાં ફસાયેલ અનેક લોકોને અકાળે મોત વ્હાલું કરવાની નોબત આવે છે. જેનો વધુ એક કિસ્સો મહેસાણામાં સામે આવ્યો છે. મહેસાણામાં વ્યાજખોરો બેફામ બન્યા હોવાની અનેક વખત ફરિયાદો ઊઠી રહી છે. તેવામાં વ્યાજખોરના ત્રાસથી આધેડે આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે.
આધેડે ઝેરી દવા ગટગટાવી લેતા મોત
મહેસાણાના મલારપુર ગામે આધેડે વ્યાજખોરોના ત્રણને કારણે કંટાળી જઇ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જેમાં આધેડે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ અંગે પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયા સારવાર કારગત નિવડતા આધેડે સારવાર દરમિયાન હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ ખેંચ્યા હતા. જે અંગે જાણ થતાં પરિવારજનો દોડી ગયા હતા.
પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉઠાવતા પરિવારજનો
બીજી બાજુ વ્યાજખોરોને પોલીસ જ પોષણ આપતી હોવાની રાવને લઇને ચકચાર મચી જવા પામી છે. વ્યાજખોરોને પોલીસ બચાવતી હોવાના મૃતકના પુત્રએ ધગધગતા આરોપ લગાવ્યા હતા.એટલું જ નહિ આધેડના મોત મામલે હજુ સૂધી જવાબદારો સામે ફરિયાદ ન નોંધાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જ્યારે કસુરવાર આરોપીઓ સામે કડકમાં કડક સજા કરવામાં આવે તેવી પરીવારજનોએ માંગ ઉઠાવી છે.
VTV ગુજરાતીના સળગતા સવાલ
વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કેમ નથી થતી?
વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી સામે પગલા કેમ નથી લેવાતા?
વ્યાજ બાદ પણ વ્યાજખોરો લાલચ કેમ નથી છોડતા?
વ્યાજખોરોને કોણ છાવરે છે?
સમાજમાંથી વ્યાજખોરોનું દુષણ ક્યારે થશે દૂર?
વ્યાજખોરોની ત્રાસ આપવાની હિંમત કેમ વધી રહી છે?
લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવનાર વ્યાજખોરો પર કડક કાર્યવાહી કેમ નથી કરાતી?
ક્યાં સુધી વ્યાજખોરો લોકોનું શોષણ કરતા રહેશે?
મદદના નામે મોટા પ્રમાણમાં વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે તવાઈ ક્યારે?