ગુજરાતમાં દૂધિયું રાજકારણ શરૂ થયું છે. તે પણ કેવું તો કે, ત્રિકોણીયું રાજકારણ. એક તરફ દૂધસાગર તો બીજી તરફ અમૂલ અને બંનેની વચ્ચે સરકાર. સતત ખોટનો ધંધો કરી રહેલી દૂધસાગરે પોતાને થઈ રહેલી ખોટ માટે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન પર આક્ષેપોનો ટોપલો ઢોળી દીધો.
તો બીજી તરફ મિલ્ક માર્કેટિંગનાં સપોર્ટમાં અમૂલે મેદાનમાં ઝંપલાવ્યું અને દૂધસાગરને થઈ રહેલી ખોટ માટે ખુદ દૂધસાગરને જ જવાબદાર ગણાવી અને ચોંકાવનારા ખુલાસા પણ રજૂ કર્યા. ત્યારે શું છે આ દૂધસાગર પર દૂધિયું રાજકારણ.
ગુજરાતમાં દૂધિયું રાજકારણ શરૂ થયું છે. તે પણ કેવું તો કે, ત્રિકોણીયું રાજકારણ. એક તરફ દૂધસાગર તો બીજી તરફ અમૂલ અને બંનેની વચ્ચે સરકાર. સતત ખોટનો ધંધો કરી રહેલી દૂધસાગરે પોતાને થઈ રહેલી ખોટ માટે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન પર આક્ષેપોનો ટોપલો ઢોળી દીધો. તો બીજી તરફ મિલ્ક માર્કેટિંગનાં સપોર્ટમાં અમૂલે મેદાનમાં ઝંપલાવ્યું અને દૂધસાગરને થઈ રહેલી ખોટ માટે ખુદ દૂધસાગરને જ જવાબદાર ગણાવી અને ચોંકાવનારા ખુલાસા પણ રજૂ કર્યા. ત્યારે શું છે આ દૂધસાગર પર દૂધિયું રાજકારણ.
દૂધસાગર છેલ્લાં અનેક વર્ષોથી માથાફોડ કરી રહી છે કે તે સતત ખોટનો ધંધો કરી રહી છે. કરોડો રૂપિયાનું નુકસાન વેઠી રહી છે. કરોડો લિટર દૂધનો પાવડર બનાવી રહી છે. પરંતુ ન તો સરકાર કે ન તો ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરિશન તેનું સાંભળી રહી છે અને આજ કારણ પણ છે કે, દૂધસાગર હવે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેટરેશનમાંથી છેડો ફાડી મલ્ટી સ્ટેટમાં સામેલ થવા જઈ રહી છે. પરંતુ દૂધસાગરનાં ખોટનાં ધંધા અને મિલ્ક માર્કેટિંગ ફેટરેશન પરનાં આક્ષેપોને લઈને હવે અમૂલ મેદાનમાં આવી ગયું છે. એટલું જ નહીં પરંતુ મેદાનમાં આવતાની સાથે જ અમુલે એવા ચોંકાવનારા ખુલાસા કર્યા કે, દૂધસાગરનાં અણઘડ વહીવટ અને વહીવટદારોની જાણ પોલ ખોલી નાખી.
પરંતુ અહીં સવાલ ચોક્કસથી ઉઠે કે, રાજ્યની અન્ય એક પણ મોટી ડેરી નુકસાનીમાં નથી ચાલતી તો પછી દૂધસાગર કેમ કરોડોનાં દેવામાં ડૂબી રહી છે. તો આપને જણાવી દઈએ કે, આ માટે દૂધ સાગરનો અણઘડ વહીવટ જ જવાબદાર છે. કેવો અણઘડ વહીવટ...? જો કે, દિલ્હીમાં જ્યાં ગેસ્ટ હાઉસની જરૂર નથી ત્યાં 20 કરોડનાં ખર્ચે ગેસ્ટ હાઉસ ખરીદ્યું. અન્ય સંઘો 28 રૂપિયામાં કિલો ખાંડ ખરીદે.
તો તેની સામે દૂધસાગર 42 રૂપિયામાં કિલો ખાંડ ખરીદે છે. એટલે કે, 14 રૂપિયા પ્રતિ કિલો ખાંડનાં વધુ ચૂકવે છે. એટલું જ નહીં પરંતુ ખેડૂતોને પણ પ્રતિ લિટર દૂધ પર 5 રૂપિયા જેટલો ઓછો ભાવ આપે છે. કેમિકલની ખરીદીની વાત આવે તો અન્ય ડેરીઓ 60 રૂપિયામાં જે કેમિકલ ખરીદે છે તેનાં દૂધ સાગર 80 રૂપિયા ચૂકવે છે. આવાં તો અનેક અણઘડ વહીવટો છે અને આજ કારણ છે કે, દૂધસાગર પર આજે 1500 કરોડનાં દેવામાં ડૂબી છે.
મહત્વનું છે કે, દૂધસાગર ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન પર આક્ષેપ લગાવી રહી છે કે, તેનાં કારણે જ દિલ્લીમાં દૂધનું ઓછું વિતરણ થાય છે અને 18 લાખ લિટર દૂધનો પાવડર બનાવવો પડે છે. પરંતુ જો આંકડાની જ જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા ડેરીનું રોજનું 50 લાખ લિટરનું ટન ઓવર છે. તેની સામે દિલ્લીમાં માત્ર 12 લાખ લિટર દૂધ જ વિતરણ થાય છે. એટલે કે, દૂધસાગર જે પ્રકારનાં આક્ષેપ લગાવી રહ્યું છે તે ખોટા અને પાયાવિહોણાં છે.
બીજું અહીં આપને એ પણ જણાવી દઈએ કે, મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જેટલાં પણ સમૂહ પાસેથી દૂધ લે છે. તે એક જ ભાવમાં ખરીદે છે. પછી તે દૂધ હોય, માખણ હોય કે ઘી હોઈ કે પછી અન્ય કોઈ પણ પ્રોડક્ટ હોય અને આ જ આવકમાંથી ડેરીઓ પોતાનો ખર્ચો નિકાળીને ખેડૂતોને દૂધનાં ભાવ આપે છે. તો પછી અહીં નુકસાની થવાની કોઈ સમસ્યા જ નથી.
અહીં દૂધસાગરનાં વહીવટને લઈને અનેક સવાલો પણ થઈ રહ્યાં છે કે, જો એક તરફ ખોટનો ધંધો થઈ રહ્યો છે. તો પછી વધારાનું નાણાંકીય રોકાણ કેમ કર્યું...? ખોટાં દેખાવ માટે રાજસ્થાનમાંથી કેમ દૂધની ખરીદી કરી..? શા માટે ગુજરાતનાં પશુપાલકો કરતા રાજસ્થાનમાં દૂધનાં વધુ 40-50 રૂપિયા વધુ આપે છે. ભાડાનાં પ્લાન રાખી કેમ દૂધનો પાવડર બનાવે છે. શા માટે દૂધનાં પાવડરનું રસ્તામાં વેચાણ કરે છે. રાજસ્થાનમાંથી દૂધ ખરીદી 400 કરોડનું દેવું વધાર્યું કોનાં કહેવાં પર. વહીવટદારોનાં અણઘડ વહીવટનું દેવું ફેડરેશન શા માટે ભરપાઈ કરે..?
જો કે અહીં ડેરીનાં અણઘડ વહીવટદારોએ સરકાર પર પણ દોષનો ટોપલો ઢોળવાનું કામ કર્યું છે અને એવો આક્ષેપ લગાવ્યો કે, સરકારે કોઈ પણ નાણાંકીય મદદ ન કરતા ડેરી દેવામાં ડૂબી છે. પરંતુ સવાલ એ થાય કે, સરકાર શા માટે મદદ કરે. દૂધસાગર એક સ્વતંત્ર સંઘ છે અને દેવામાં ડૂબી તો તેનાં અણઘડ વહીવટદારોનાં કારણે. ન કે મિલ્ક માર્કેટિંગ ફેડરેશન કે સરકારનાં કારણે. પરંતુ આ તો મલાઈનો માલ છુપાવવા માટે કાવા-દાવા થઈ રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. જેમાં ન તો પશુપાલકોને ફાયદો થઈ રહ્યો છે કે ન તો દૂધસાગરને. માત્રને માત્ર ખિસ્સા ભરનારાઓને ફાયદો થઈ રહ્યો છે.