દૂધસાગર ડેરી અને GCMMF વચ્ચે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. દિલ્હીમાં દૂધ વિતરણ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. દૂધસાગર ડેરીએ GCMMF પર આક્ષેપ કર્યા છે. GCMMF દ્વારા નાણાં પણ ન અપાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
દૂધસાગર ડેરી અને GCMMF વચ્ચે વિવાદ ચરમસીમાએ
દિલ્હીમાં દૂધ વિતરણ મુદ્દે ચાલી રહ્યો છે વિવાદ
દૂધસાગર ડેરીએ GCMMF પર લગાવ્યા છે આક્ષેપ
ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા લેવાયેલા ઘીના સેમ્પલમાં ભેળસેળ સામે આવી છે. ઘીમાં ભેળસેળ થતાં 600 મેટ્રિક ટન ઘીના જથ્થાને રોકી દેવાયો છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા રોક લગાવવામાં આવી છે. 172 બેચ નંબરથી ઘી પેક કરવામાં આવ્યું હતું. ઘીમાં 16 ટકા પામઓઇલનો જથ્થો મળી આવ્યો છે હજુ પણ બજારમાં 512 મેટ્રિક ટન ઘી છે.
ભેળસેળ સામે આવ્યા બાદ દૂધસાગર ડેરીએ આક્ષેપ કર્યા છે. GCMMF દૂધસાગર ડેરીને બદનામ કરવા માગે છે. GCMMF સત્તાનો દુરઉપયોગ કરી રહ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. ડેરીની અંદરના ઘીના નમૂના લેવાયા નથી. ડેરીમાં રહેલા ઘીના જથ્થામાં કોઇ ભેળસેળ નથી. ટેન્કર કોન્ટ્રાક્ટરો દ્વારા ભેળસેળ કરવામાં આવી હોવાનું અનુમાન છે.
સળગતા સવાલ
મહેસાણાની સૌથી મોટી ડેરીમાં આ પ્રકારનું કૃત્ય કેટલું યોગ્ય?
પૈસા કમાવવાની લાલચમાં લોકોના જીવ સાથે ચેડા કેમ?
બજારમાં 512 મેટ્રિક ટન ઘી ફરી રહ્યું છે તેનું શું?
ફેડરેશને સામે ડેરી આરોપ લગાવે છે તે કેટલા સાચા?
દૂધ સાગર ડેરી સામે ફેડરેશને કેમ ખોટા આરોપ લગાવે?
ફેડરેશન અને દૂધ સાગર ડેરીના પરસ્પર આરોપમાં કોણ સાચું?
દૂધ સાગર ડેરીનો વિવાદ શું છે?
મહેસાણાની દૂધસાગર ડેરીના ઘીમાં ભેળસેળ
ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશને લીધેલા સેમ્પલમાં ભેળસેળ