મહેસાણામાં સિવિલ હોસ્પિટલના ART વિભાગના ડૉક્ટરના ત્રાસથી નર્સ નીલમ લેઉવાએ આપઘાત કર્યો હતો. આ મામલે ડૉક્ટર જી.કે.કંદોઈના વિરૂદ્ધમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે ડૉક્ટર જી.કે.કંદોઈની અટકાયત કરી છે.
અટકાયત કરીને પોલીસે આરોપી ડૉક્ટરની પુછપરછની કાર્યવાહી હાથધરી છે. મહત્વનું છે કે પરિવારજનો દ્વારા ડૉક્ટરના વિરૂદ્ધમાં કાર્યવાહીની માગ કરવામાં આવી હતી.
#BREAKING#Mehsana#CivilHospital માં ડોક્ટરના ત્રાસથી નર્સના આપઘાતનો મામલો
ડોકટર વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ
આત્મહત્યા માટે દુષપ્રેરણ કરાયાની નોંધાઇ ફરિયાદ
પોલીસે ફરિયાદ નોંધી ડો.જી.કે.કંદોઈની કરી અટકાયત
પોલીસે ડોક્ટરની પૂછપરછ કરી કાર્યવાહી હાથ ધરી pic.twitter.com/2AFQ56eNVG
પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો પણ ઈન્કાર કર્યો હતો. ડૉક્ટર વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી શરૂ કરતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો છે.
આ ઘટના અંગે મળતી જાણકારી મુજબ મહેસાણામાં સિવિલ હોસ્પિટલના ART વિભાગમાં કામ કરતી નીલમ લેઉવા નામની નર્સે ડોક્ટરના ત્રાસથી ગતરોજ આપઘાત કરી લેતા હડકંપ મચી જવા પામ્યો હતો. આ સાથે જ પરિવારજનોએ ડોક્ટર વિરૂદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.