કોરોનાકાળમાં મહેસાણાના બેચરાજી APMCની યોજાયેલી ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે. આમ મતગણતરી બાદ બેચરાજી APMCની સત્તા કોની પાસે જશે તે નક્કી થશે. ભાજપના જ બે જૂથ વચ્ચે સત્તા માટે ખેંચતાણ છે.
બેચરાજી APMCની ચૂંટણીમાં આજે મતગણતરી
ખેડૂત વિભાગની 10 મંડળીઓની મતગણતરી હાથ ધરાશે
બેચરાજી APMCની સત્તા કોની પાસે જશે તે થશે નક્કી
મહેસાણાના બેચરાજી APMCની સત્તા માટે ભાજપના જ બે જૂથ વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. જેમાં વિઠ્ઠલ પટેલ અને રજની પટેલનું જૂથ આમને-સામને જોવા મળ્યું છે.
આજરોજ મંગળવારે સવારે 11 વાગે મતગણતરી શરુ કરવામાં આવશે. જેમાં ખેડૂત વિભાગની 1 0 મંડળીની મત ગણતરી હાથ ધરાશે. જેમાં નક્કી થશે કે સત્તા કોની પાસે જશે.
5 બેઠક પર વર્તમાન ચેરમેનની પેનલનો વિજય
ઉલ્લેખનીય છે કે આ અગાઉ મહેસાણાની બહુચરાજી APMC ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા હતા. જેમાં APMCની 5 બેઠકોનું પરિણામ જાહેર થયું હતું. આ તમામ બેઠક પર વર્તમાન ચેરમેનની પેનલનો વિજય થયો હતો. રજની પટેલ જૂથનો વિઠ્ઠલ પટેલની પેનલ સામે પરાજય થયો છે. રજની પટેલ જૂથને 10 મત મળ્યા છે. ચેરમેન વિઠ્ઠલ પટેલની પેનલને 29માંથી 18 મત મળ્યા હતા.