ભારત એક એવો દેશ છે કે જ્યાં ઘણાં બધાં મોટા મોટા મહારાજાઓએ રાજ કર્યું છે. ત્યારે મહારાજાઓનાં મોટા મોટા ગઢને ઘણાં ખરાં મુઘલ સામ્રાજ્યનાં લોકોએ લૂંટવાનો પણ પ્રયાસ કર્યો છે. ત્યારે ભારતનાં ધની ઇતિહાસમાં આવાં જ એક મોટા કિલ્લાની જો વાત કરીએ તો આ કિલ્લાની વિશેષતા એ છે કે તે 500 વર્ષ જૂનો છે તેમજ સાથે સાથે આ કિલ્લાની ઓળખ ભૂતીયા કિલ્લાઓમાંનાં એક કિલ્લા તરીકે પણ થાય છે. જો કે આ કિલ્લો હાલમાં સોશ્યલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે અને ખાસ કરીને તેને લઈને જે ખબર વાયરલ થઈ રહી છે તે સત્યથી વેગળી છે.
જોધપુરના મહેરાનગઢના કિલ્લાથી સંપૂર્ણ પાકિસ્તાન દેખાય છે તેવા ફોટો અને તેવી વાતો સોશ્યલ મીડિયા અને અમુક મીડિયામાં ચાલી રહ્યાં છે. આ ખબરો પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે પરંતુ તેની હકીકત કંઈક અલગ છે.
હકીકતમાં જોધપુરના મહેરાનગઢથી સંપૂર્ણ પાકિસ્તાન દેખાય છે તે વાત સત્યથી વેગળી છે. રાજસ્થાનમાં સ્થિત આ કિલ્લાનું નામ 'મેહરાનગઢ' છે.
શા માટે આવું વાયરલ થઈ રહ્યું છે?
હકીકતમાં પાકિસ્તાનના ભવલપુર જિલ્લામાં દેરાવર કિલ્લો આવેલો છે જે જેસલમેરના કિશનગઢ કિલ્લા જેવો જ દેખાય છે નહીં કે મહેરાનગઢ કિલ્લા જેવો. કેટલાંક લોકો આ કિલ્લાને ભારતનો સમજી લે છે.
મેહરાનગઢ દુર્ગ ભારતનાં રાજસ્થાન પ્રાંતમાં જોધપુર શહેરમાં સ્થિત છે. પંદરમી શતાબ્દીનો આ વિશાળ કિલ્લો પથરીલી પહાડ પર 125 મીટર ઉંચાઇ પર નિર્મિત છે. જે કુતુબમીનારથી પણ ઉંચો છે.
1965માં ભારત-પાકિસ્તાનનાં યુદ્ધમાં સૌથી પહેલાં મેહરાનગઢનાં કિલ્લાને નિશાન બનાવવામાં આવ્યો હતો. જોધપુર શાસક રાવ જોધાએ 12મેં 1459નાં રોજ આ કિલ્લાની ઇંટ મૂકી હતી અને મહારાજ જસવંતસિંહે (1638-78) આને પૂર્ણ કર્યો હતો.
આ કિલ્લાનાં દિવાલોની સીમા 10 કિ.મી સુધી ફેલાયેલ છે. તેની ઉંચાઇ 20 ફૂટથી 120 ફૂટ તથા પહોળાઇ 12 ફૂટથી 70 ફૂટ સુધી છે. આમાં અગમ્ય રસ્તાવાળા સાત આરક્ષિત ગઢ પણ બનેલા હતાં. ઘુમાવદાર માર્ગો સાથે જોડાયેલ આ કિલ્લાની ચાર દરવાજા છે. કિલ્લાની અંદર અનેક ભવ્ય મહેલ અદભુત નક્શીકામ કોતરણીવાળાં દરવાજા જાળીદાર બારીઓ છે.
રાવ જોધાને મા ચામુંડા માતા પર ખૂબ શ્રદ્ધા હતી. ચામુંડા માતા જોધપુરનાં શાસકોની કુળદેવી છે. કહેવામાં આવે છે કે માતાજીની કૃપાથી જ યુદ્ધ દરમ્યાન કિલ્લાને ભારત બચાવી શક્યું હતું. રાવ જોધાએ 1460માં મેહરાનગઢ કિલ્લાની પાસે ચામુંડા માતાનું મંદિર બનાવ્યું અને બાદમાં માતાજીની મૂર્તિની સ્થાપના કરી.
ચામુંડા માં માત્ર શાસકોની જ નહીં પરંતુ અધિસંખ્ય જોધપુર નિવાસીઓની કુળદેવી છે અને આજે પણ લાખો લોકો આને પૂજે છે. નવરાત્રિનાં દિવસોમાં અહીંયા વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે માતાજીનાં આશીર્વાદથી જ સન 1965માં પાકિસ્તાનનાં હુમલા દરમ્યાન કિલ્લાને કોઇ આંચ પણ ન હોતું લાવી શકતું.
કેવી રીતે અહીં પહોંચી શકાય છે:
જોધપુરમાં આવેલા આ કિલ્લા સુધી પહોંચવા માટે તમે એરપોર્ટથી સરળતાથી પહોંચી શકો છો. જોધપુર રેલવે સ્ટેશનથી પણ ટેક્સી અથવા બસ મળી શકે છે. નવી દિલ્હી અને આગરાથી જયપુરની સીધી બસ મળે છે.