દિવાળીના એક દિવસ પહેલા જ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના અનેક સ્થળોએ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું.
પાકિસ્તાને મોર્ટાર અને અન્ય હથિયારોથી શેલ ફાયરિંગ કર્યું હતું, જેમાં સૈનિકો શહિદ થયા હતા અને નાગરિકોનાં મોત નીપજ્યાં હતા. આ ઉપરાંત ઘણા લોકો ઘાયલ થયા હતા જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પાકિસ્તાનના આ હુમલાનો જવાબ આપતા સુરક્ષા દળોએ આક્રમક હુમલો કર્યો હતો અને પાકિસ્તાનના ફ્યુઅલ ટેન્ક, બંકર સહિત 11 સૈનિકોને ઉડાવી દીધા હતા. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિએ ભારત અને પાકિસ્તાનની સરકારોને બંને દેશોને ફાયરિંગ અંગે સલાહ આપી હતી.
Sad to see mounting casualties on both sides of LOC. If only Indian & Pakistani leadership could rise above their political compulsions & initiate dialogue. Restoring the ceasefire agreed upon & implemented by Vajpayee ji & Musharaf sahab is a good place to start
મહેબૂબા મુફ્તીએ ભારતના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી બાજપાઇ અને પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ દ્વારા લાગુ કરાયેલ સીઝ ફાયરને ફરી શરૂ કરવા બંને દેશોને અપીલ કરી હતી. જમ્મુ અને કાશ્મીરના પૂર્વ CMએ લખ્યું હતું કે, "LOCની બંને બાજુ વધી રહેલા મૃત્યુના આંકડાને જોઈને હું દુ:ખી છું. ભારત અને પાકિસ્તાની નેતૃત્વ તેમની રાજકીય મજબુરીઓથી ઉપર ઉઠીને અને વાજપેયી જી અને મુશર્રફ સાહેબે અમલમાં મુકેલા યુદ્ધવિરામને ફરી શરૂ કરી શકે છે."
કેટલાક વપરાશકર્તાઓએ તેમને આ ટ્વિટ પર ટ્રોલ પણ કર્યા છે. એક યુઝરે લખ્યું "સલાહ માટે આભાર, હવે મોદીજી તમારી સલાહ પ્રમાણે વર્તશે." બીજા વપરાશકર્તાએ લખ્યું, "POK પાછું જોઈએ છે, શું તમારી પાસે આ માટે કોઈ આઈડિયા છે?"