છેલ્લા કેટલાક દિવસથી જમ્મુ-કાશ્મીરમાં મચી ગયેલી હલચલ વચ્ચે આજરોજ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કહ્યું કે કાશ્મીરમાં બેચેનીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેબૂબા મુફ્તીએ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ દરમ્યાન પૂર્વ મુખ્યમંત્રી મુફતીએ દેશના પ્રધાનમંત્રીને નિશાને પણ લીધા હતા. તેમણે વધુમાં કહ્યું કે, પ્રવાસીઓ તથા વિદ્યાર્થીઓને કાશ્મીર છોડવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. કાશ્મીરીઓને રાહત આપવાના પ્રયત્ન નથી કરવામાં આવી રહ્યા.
મુફ્તીએ પીએમ મોદી પર સાધ્યું નિશાન
Evacuate yatris, tourists, labourers, students & cricketers. Willingly create a sense of panic & distress but don’t bother giving Kashmiris a sense of relief or security.
Kahan gayi insaniyat, kashmiriyat aur jamhooriyat? https://t.co/Y45AxiMwwq
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ કાશ્મીરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે કયાં ગઇ ઇન્સાનિયર, કશ્મીરિયત અને જમ્હરિયત?
નોંધનીય છે કે, રવિવાર સાંજે એક હોટલમાં તમામ રાજકીય પક્ષોની બેઠક બોલાવી હતી, પરંતુ પોલીસે બુકિંગ રદ્દ કરી દીધું છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે અણે કેન્દ્ર સરકારને એ બતાવવા માગી રહ્યા છીએ કે, કલમ 370 અને અનુચ્છેદન 35 A સાથે છેડછાડ કરવાનું ગંભીર પરિણામ આવી શકે છે. અમે સરકાર સાથે વાતચીત કરવાની વાત કરી પરંતુ ભારત સરકાર દ્વારા પણ કોઇ જવાબ મળી રહ્યો નથીય લોકો ગભરાયેલા છે કે, સરકાર ખરેખર કરવા શું માગે છે.