દેશને આજે પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મળ્યા છે. દ્રૌપદી મુર્મૂએ જેવા રાષ્ટ્રપતિ પદના શપથ લીધા કે, તુરંત પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પર જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફતીએ આકરા પ્રહારો કર્યા હતા.
ભારતના 15મા રાષ્ટ્રપતિ બન્યા દ્રૌપદી મુર્મૂ
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પર મહેબૂબા મુફ્તીએ કર્યા પ્રહાર
ટ્વિટર કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા
દ્રૌપદી મુર્મૂએ દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે આજે સંસદભવનમાં શપથ લીધા છે. તેમના શપથ લેતાની સાથે જ જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ અને પીડીપીના ચીફ મહેબૂબા મુફ્તીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પર પ્રહાર કર્યા છે.
તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, આર્ટિકલ 370ની વાત હોય કે, નાગરિકતા કાનૂન (CAA) હોય કે, પછી અલ્પસંખ્યકો અથવા દલિતોને ટાર્ગેટ કરવાનું હોય, રામનાથ કોવિંદે હંમેશા ભારતીય સંવિધાનના નામ પર ભાજપના રાજકીય એજન્ડા પુરા કર્યા છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, નિવર્તમાન રાષ્ટ્રપતિ (રામનાથ કોવિંદ) પોતાની પાછળ એક એવી વિરાસત છોડી ગયા છે, જ્યાં ભારતીય સંવિધાનને અનેકો વખત કચડવામાં આવ્યું છે.
The outgoing President leaves behind a legacy where the Indian Constitution was trampled upon umpteenth times. Be it scrapping of Article 370,CAA or the unabashed targeting of minorities & Dalits, he fulfilled BJPs political agenda all at the cost of the Indian Constitution.
આપને જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મોટા ભાગે અલગ અલગ મુદ્દાને લઈને ભાજપ પર પ્રહારો કરતા આવ્યા છે. આ અગાઉ તેમણે હર ઘર તિરંગાને લઈને પ્રહાર કર્યા હતા. તેમણે ટ્વિટ કરતા કહ્યું હતુ કે, જમ્મુ કાશ્મીરમાં જે રીતે પ્રશાસન વિદ્યાર્થીઓ, દુકાનદારો અને કર્મચારીઓને રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા માટે પૈસા આપવા માટે મજબૂૂર કરી રહ્યા છે, એવું લાગે છે કે, કાશ્મીર એક દુશ્મન ક્ષેત્ર છે, જેને કબ્જો કરવાની જરૂર છે.
તો વળી આ અગાઉ પણ મુફ્તીએ કહ્યું હતું કે, આ દેશને જવાહરલાલ નહેરુ, ઈંદિરા ગાંધી, રાજીવ ગાંધી જેવા નેતાઓના લોહી પરસેવાથી બનાવ્યો છે. જેના આધારે લોકતંત્ર અને ધર્મનિરપેક્ષ હતો. ભાજપ તેનાથી વિપરીત ચાલી રહી છે. મેં મારા જીવનનમાં તેનાથી ભ્રષ્ટ સરકાર જોઈ નથી. જેવી રીતે ભાજપે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગોવા કે મહારાષ્ટ્રમાં ધારાસભ્યોને ખરીદ વેચાણ કરે છે, ભ્રષ્ટાચારનું આનાથી મોટુ ઉદાહરણ ઈતિહાસમાં નથી.