જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પૂંછ સરહદે આવેલા નવગ્રહ મંદિરમાં કરી પૂજા, ભાજપે આ મુલાકાતને રાજકીય ખેલ ગણાવ્યો
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ મંદિરમાં કરી પૂજા
પૂંછ જિલ્લાની તેમની મુલાકાત દરમિયાન નવગ્રહ મંદિરમાં પ્રાર્થના કરી
મંદિરની પ્રદક્ષિણા કરી અને શિવલિંગને જળ પણ અર્પણ કર્યું
જમ્મુ કાશ્મીર પ્રદેશ ભાજપે આ મુલાકાતને રાજકીય ખેલ ગણાવ્યો
જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પૂંછ જિલ્લાની તેમની મુલાકાત દરમિયાન નવગ્રહ મંદિરમાં પ્રાર્થના કરી હતી. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડા જે પુંછ જિલ્લાના બે દિવસીય પ્રવાસ પર હતા તેઓ પૂંછ સરહદે આવેલા નવગ્રહ મંદિર પહોંચ્યા હતા. અહીં તેમણે આખા મંદિરની પ્રદક્ષિણા કરી અને શિવલિંગને જળ પણ અર્પણ કર્યું હતું. આ દરમિયાન તેમણે મંદિર પરિસરમાં બનેલી યશપાલ શર્માની પ્રતિમા પર ફૂલ પણ વરસાવ્યા હતા.
મહેબૂબા મુફ્તીની મંદિરની મુલાકાતને લઈ પ્રદેશ ભાજપે આ મુલાકાતને રાજકીય ખેલ ગણાવ્યો હતો. ભાજપના જમ્મુ અને કાશ્મીર એકમના પ્રવક્તા રણબીર સિંહ પઠાનિયાએ જણાવ્યું હતું કે, 2008માં મહેબૂબા મુફ્તી અને તેમની પાર્ટીએ શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડને જમીન ફાળવવાનો વિરોધ કર્યો હતો.
J&K | PDP chief Mehbooba Mufti visited Navagraha temple in the Pooch district and offered prayers (15/03) pic.twitter.com/tEV2TAELjQ
મીડિયા અહેવાલો અનુસાર રણબીર સિંહ પઠાનિયાએ કહ્યું કે, પીડીપીએ શ્રદ્ધાળુઓ માટે ઝૂંપડીઓના નિર્માણ માટે શ્રાઈન બોર્ડને જમીનના અસ્થાયી સ્થાનાંતરણની મંજૂરી આપી નથી. તેમની મંદિરની મુલાકાત માત્ર નાટક અને નૌટંકી છે, જેનું કોઈ પરિણામ નહીં આવે. જો રાજકીય યુક્તિઓ દ્વારા પરિવર્તન લાવી શકાયું હોત તો જમ્મુ અને કાશ્મીર આજે સમૃદ્ધિનો બગીચો હોત.