જમ્મુ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકારને રમઝાનમાં સિક્યોરિટી ફોર્સ દ્વારા ચલાવવામાં આવતા સર્ચ ઓપરેશનને બંધ કરવાની અપીલ કરી હતી. સાથો સાથ આતંકીઓને પણ આ પવિત્ર મહિનામાં કોઈ હુમલો ન કરવાની વાત કરી હતી.
મહેબૂબા મુફ્તી પહેલાથી જ પોતાના નિવેદનનોને લઈને ચર્ચામાં રહે છે. જો કે આજે ભાજપના નેતાની કશ્મીરમાં હત્યા કરતા માહોલ ગરમાયો છે. શું છે સમગ્ર મામલો જોઈએ આ અંગેનો અહેવાલ.
જમ્મુ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકારને રમઝાનમાં સિક્યોરિટી ફોર્સ દ્વારા ચલાવવામાં આવતા સર્ચ ઓપરેશનને બંધ કરવાની અપીલ કરી હતી. જો કે અપીલના થોડાં કલાકોમાં જ આતંકીઓએ ભાજપના કાર્યકર્તા ગુલ મોહમ્મદ મીરને દક્ષિણ કશ્મીરના નૌગામમાં હત્યા કરી હતી.
સિક્યોરિટી ફોર્સે આ વિસ્તારને ઘેરી લીધો છે. ભાજપના કાર્યકર્તાની હત્યા થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુલ મોહમ્મદ મીરની હત્યાની આકરી ટિકા કરી છે. જમ્મુ-કશ્મીરમાં પાર્ટીને મજબૂત કરવાની દિશામાં તેમનું યોગદાન હંમેશા યાદ કરાશે. આપણા દેશમાં આવી હિંસા માટે કોઇ જગ્યા નથી.
તેમના પરિવાર અને શુભચિંતકો પ્રત્યે મારી સંવેદના. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું, રમઝાન માસ શરૂ થવાનો છે. લોકો દિવસ-રાત દુઆ કરવા માટે મસ્જિદ જતા હોય છે. હું અપીલ કરું છું કે, સરકાર ગત વર્ષની જેમ દરોડા અને સર્ચ ઓપરેશન બંધ રાખે. જેનાથી જમ્મુ કશ્મીરના લોકોને એક માસ સુધી રાહત મળી શકે.
ગત વર્ષની જેમ આ વખતે પણ કશ્મીરમાં સેના અને આતંકીઓ શાંતિ રાખે તેવી ઈચ્છા મુફ્તીએ વ્યકત કરી હતી. જો કે તે શક્ય થયું ન હતું. મુફ્તીએ કહ્યું, હું આતંકવાદીઓને અપીલ કરું છું કે રમઝાનનો મહિનો ઈબાદત અને પ્રાર્થનાનો છે.
આ માસમાં કોઈ જ હુમલાઓ ન કરવા જોઈએ. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કેન્દ્ર સરકારે પીડીપી-ભાજપ ગઠબંધનની રાજ્ય સરકારની માગ પર રમઝાનમાં સીઝફાયરની જાહેરાત કરી હતી. સિક્યોરિટી ફોર્સે આતંકીઓ વિરૂદ્ધ સર્ચ ઓપરેશન રોકી દીધું હતું. જો કે સુરક્ષાબળ જવાબી કાર્યવાહી માટે સ્વતંત્ર હતા. તે રીતે આ વખતે પણ મુફ્તીએ રમઝાનને લઈને માગ કરી હતી.