પ્રધાનમંત્રી મોદીએ બાડમેરમાં જનસભાને સંબોધિત કરતા કહ્યું કે, ભારતે પરમાણુ બોમ્બ દિવાળી માટે નથી રાખ્યો. પીએમનાં આ જ નિવેદન પર પાકિસ્તાનની તે ધમકીઓનો આ જવાબ હતો કે જેમાં પાકિસ્તાની નેતા વારંવાર દિલ્હી પર પરમાણુ હુમલાની વાત કરતા આવ્યાં છે.
પરમાણુ બોમ્બને લઇને ચૂંટણી રેલી દરમ્યાન પ્રધાનમંત્રી મોદીનાં નિવેદન પર જમ્મુ-કશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ પલટવાર કર્યો. મુફ્તીએ પાકિસ્તાનનો પક્ષ લેતા કહ્યું કે, જો ભારતે પરમાણુ બોમ્બ દિવાળી માટે નથી રાખ્યો તો જરૂરી છે કે પાકિસ્તાને પણ પરમાણુ બોમ્બ ઇદ માટે નથી રાખ્યો. મુફ્તી હાલનાં દિવસોમાં કેન્દ્ર સરકાર અને ખાસ રીતે જોઇએ તો પીએમ મોદી વિરૂદ્ધ કડક તેવર દેખાડીને સતત તેમની પર નિશાન સાધતા રહે છે.
મહબૂબાએ પ્રધાનમંત્રી મોદીનાં આ નિવેદન માટે એક દિવસ બાદ સોમવારનાં રોજ ટ્વિટ કરીને તેઓની પર નિશાન સાધ્યું. તેઓએ કહ્યું કે, સમજણમાં નથી આવતુ કે આખરે કેમ પ્રધાનમંત્રી મોદી આટલાં નીચલા સ્તર પર જઇને નિવેદન આપી રહેલ છે, તેઓએ રાજનૈતિક ચર્ચાનાં સ્તરને નીચે પાડવાનું કામ કર્યુ છે.
#WATCH Prime Minister Narendra Modi in Barmer, Rajasthan: India has stopped the policy of getting scared of Pakistan's threats. Every other day they used to say "We've nuclear button, we've nuclear button".....What do we have then? Have we kept it for Diwali? pic.twitter.com/cgSLoO8nma
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદીએ ગઇ કાલનાં રવિવારનાં રોજ બાડમેરમાં પાકિસ્તાન પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, 'પહેલાંની જેમ હવે ભારત પાકિસ્તાનની ન્યૂક્લિયર ધમકીથી નથી ડરતું. રાજસ્થાનનાં બાડમેરમાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ પડોશી દેશને ચેતવણી આપી હતી કે અમે પરમાણુ બોમ્બ કંઇ દિવાળી માટે નથી મૂકી રાખ્યો.'
રવિવારનાં રોજ બાડેમરમાં પાકિસ્તાનને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, 'ભારતે પાકિસ્તાનની ધમકીથી ડરવાની નીતિ હવે મૂકી દીધી છે. નહીં તો પાકિસ્તાન તો અવારનવાર પરમાણુ બોમ્બની ધમકી આપતું હતું. તેઓ કહેતા હતાં કે અમારી પાસે ન્યૂક્લિયર બટન છે. તો ભારત પાસે શું છે ભાઇ? આ પરમાણુ બોમ્બ અમે કંઇ દિવાળી માટે રાખેલ છે કે શું?' તેઓએ કહ્યું કે, અમે ઘરમાં ઘુસીને આતંકવાદીઓને માર્યા. ચોટ ત્યાં લાગી અને દર્દ અહીં થયું.