જમ્મૂ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના અધ્યક્ષા મહેબૂબા મુફ્તિએ એક વાર ફરી દેશવિરોધી નિવેદન આપ્યું છે. ભાજપના સંકલ્પ પત્રમાં આર્ટિકલ 370 અને આર્ટિકલ 35-A હટાવવાની વાત કરતા મહેબૂબા મુફ્તિ ઉશ્કેરાયા અને વિવાદીત ટ્વીટ કરીને કહ્યું કે, ભાજપે આર્ટિકલ 370 હટાવવાની વાત કરી છે.
ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે.ભાજપે ચૂંટણી ઢંઢેરાને સંકલ્પ પત્ર નામ આપ્યું છે. જેન લઇને જમ્મૂ-કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના અધ્યક્ષા મહેબૂબા મુફ્તિએ એક વાર ફરી દેશવિરોધી નિવેદન આપ્યું છે. ભાજપના સંકલ્પ પત્રમાં આર્ટિકલ 370 અને આર્ટિકલ 35-A હટાવવાની વાત કરતા મહેબૂબા મુફ્તિ ઉશ્કેરાયા અને વિવાદીત ટ્વીટ કરીને કહ્યું કે, ભાજપે આર્ટિકલ 370 હટાવવાની વાત કરી છે.
જો એવું થશે તો અમે ખુદ જ ચૂંટણી લડવાના અધિકારથી વંચિત થઈ જઈશું. કારણ કે ત્યારે ભારતીય બંધારણ જમ્મૂ-કશ્મીરમાં લાગુ નહીં થાય. આ સિવાય મહેબૂબા મુફ્તિએ ધમકીભર્યા અંદાજમાં લખ્યું કે, જો સમજશો નહીં તો ખતમ થઈ જશો હિન્દુસ્તાનના લોકો, તમારો ઉલ્લેખ પણ નહીં હોય ઈતિહાસમાં. ઉલ્લેખનીય છે કે, દિલ્લી હાઈકોર્ટે ફારૂક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તિ પર લોકસભા ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે મહેબુબા મુફ્તિએ આ ટવિટ દિલ્લી હાઇકોર્ટમાં કરવામાં આવેલ ફારૂખ અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તિને લોકસભા ચૂંટણી લડવા પર પ્રતિબંધ માટે કરવામાં આવેલી અરજીના સંદર્ભમાં કહ્યું હતું. જમ્મૂ-કાશ્મીરમાં એક રેલીને સંબોધન કરતાં કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું કે કાશ્મીરમાં આતંકવાદ પર જીરો ટોલરન્સની નીતિ સફળ રહી.
રાજનાથસિંહે સંબોધન કરતાં કહ્યું કે જો કોઇ જમ્મૂ-કાશ્મીર માટે અલગ વડાપ્રધાનની વાત કરે છે તો અમારા માટે કલમ 370 અને 35-એ હટાવવા સિવાય કોઇ વિકલ્પ નથી. જો કે કલમ 370 કલમ હટાવવાની વાતનો જમ્મૂ-કાશ્મીરના બે પ્રમુખ રાજકીય પક્ષ પીડીપી અને નેશનલ કોન્ફરન્સ એકજૂટ થઇ સતત વિરોધ કરી રહ્યાં છે.