રિપબ્લિક ટીવી નેટવર્કના એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામી મામલે સ્વતંત્રતાના અધિકાર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સહમતિ દર્શાવતા જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પ્રશ્ન કર્યો કે આધારહીન આરોપો હેઠળ જેલમાં બંધ સેંકડો કાશ્મીરીઓ અને પત્રકારોના છુટકારા પર તાત્કાલિક કેમ પ્રભાવશાળી કાર્યવાહી કેમ નથી થઇ રહી.
અર્નબ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા જામીન
અર્નબ ગોસ્વામીના જામીન પર મહેબૂબા મુફ્તીએ ઉઠાવ્યા સવાલ
કહ્યું- જેલમાં બંધ સેંકડો કાશ્મીરીઓને તાત્કાલિક સુનાવણી કેમ નહીં
પીપુલ્સ ડેમોક્રેટિક(PDP)ના અધ્યક્ષ મુફ્તીએ ટ્વિટ કરીને કહ્યું કે, સ્વતંત્રતાના અધિકાર પર સુપ્રીમ કોર્ટના આક્રોશથી સહમત છીએ, પરંતુ આ વાતનું મોટું દુઃખ છે અને નારાજગી પણ છે કે હજુ પણ આધારહીન આરોપો હેઠળ સેંકડો કાશ્મીરી અને પત્રકારો જેલમાં બંધ છે. કોર્ટના નિર્ણયને ભૂલી જાઓ હજુ સુધી સુનાવણી પણ નથી થઇ. તેમની સ્વતંત્રતા માટે કેમ કોઇ અવાજ પણ ઉઠાવતું.
Agree with SCs outrage on right to liberty. But sadly this outrage has been selective as there are hundreds of Kashmiris & journalists languishing in jails on baseless charges. Forget court ruling they didn’t even get a hearing. Why no sense of urgency for their liberty?
અર્નબ ગોસ્વામીને ઇન્ટિરિયર ડિઝાઇનર અન્વય નાઇક અને તેમની માતાને આત્મહત્યા માટે ઉશ્કેરવા મામલે 4 નવેમ્બરે મુંબઈ પોલીસે તેમની ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પલટતા બુધવારે અર્નબને જામીન પર છુટા કરી દીધા.
ગત વર્ષ 5 ઓગસ્ટે મહેબૂબાની સાથે 2 અન્ય પૂર્વ મુખ્યમંત્રી ડૉ. ફારૂક અબ્દુલ્લા અને તેમના દિકરા ઉમર અબ્દુલ્લા સિવાય સેંકડો પૂર્વ મંત્રી, ધારાસભ્ય અને અલગ અલગ મુખ્ય રાજકીય પાર્ટીઓના નેતા અને અલગાવવાદી સંગઠનોના સભ્યોની ધરપકડ કરી હતી. ઉમરની બહેન અને મહેબૂબાની દીકરીએ બાદમાં વગર કોઇ જામીને સુપ્રીમ કોર્ટમાં તેમની નજરબંધીને પડકાર ફેંક્યો હતો. જોકે, બાદમાં ધરપકડ માટે ગયેલા નેતાઓને કેન્દ્રશાસિત તંત્ર દ્વારા તેમની ધરપકડના આરોપ પરત લીધા બાદ તેમની છુટા કરી દેવામાં આવ્યા હતા.