PDP ચીફ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ દાવો કર્યો છે કે તેમની ફરીથી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
શુક્રવારે તેમણે કહ્યું કે બે દિવસથી તેઓ પુલવામા જઈ શકતા નથી. આ ઉપરાંત તેમની દીકરી પણ હાઉસ એરેસ્ટમાં છે.
"મને ફરીથી ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં લેવામાં આવી છે"
મેહબૂબા મુફ્તીએ ટ્વીટ કરીને કહ્યું કે મને ફરીથી ગેરકાયદેસર રીતે કસ્ટડીમાં લેવામાં આવી છે. બે દિવસથી હું પાર્ટી નેતા વાહીદ ઉર રહેમાનના પરિવારને પુલવામાં મળવા જવાનો પ્રયત્ન કરું છું પણ મને જવા દેવામાં આવતી નથી કારણ કે જમ્મુ અને કાશ્મીર પ્રશાસને મને પરવાનગી આપી નથી.
વાહીદને ખોટા આરોપો હેઠળ અરેસ્ટ કરવામાં આવ્યા છે. ભાજપના મંત્રીઓએ અને તેમની કઠપૂતળીઓને કાશ્મીરમાં દરેક જગ્યાએ ફરવાની છૂટ છે પરંતુ ફક્ત મારા મામલામાં સુરક્ષાને લગતા પ્રશ્નો ઉભા થાય છે.
Ive been illegally detained yet again. Since two days, J&K admin has refused to allow me to visit @parawahid’s family in Pulwama. BJP Ministers & their puppets are allowed to move around in every corner of Kashmir but security is a problem only in my case. pic.twitter.com/U5KlWzW3FQ
"મારી દીકરી ઈલ્તીજાને ઘરમાં નજરકેદમાં રાખવામાં આવી છે"
તેમણે આગળ કહ્યું છે કે અત્યાચારની કોઈ સીમા નથી. મારે તેમના પરિવારને સાન્ત્વના આપવા જવું છે. મારી દીકરી ઈલ્તીજાને ઘરમાં નજરકેદમાં રાખવામાં આવી છે કારણ કે તે પણ વાહીદના પરિવારને મળવા માંગે છે.
મુફ્તીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર મુકાયેલી એક પોસ્ટ અનુસાર, એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ અને ડિરેક્ટર સ્પેશિયલ સિક્યોરિટી ગ્રૂપ (SSG) એસ. ડી.સિંહે 28 નવેમ્બરના રોજ યોજાનારી જમ્મુ-કાશ્મીર જિલ્લા વિકાસ પરિષદ (ડીડીસી)ની ચૂંટણીનું ચૂંટણીનું કારણ આપીને પુલવામા જિલ્લા પોલીસમાં પૂર્વ મુખ્ય મંત્રીની સૂચિત મુલાકાત રદ કરવાની માંગ કરી છે.
"સરકાર સ્વતંત્રતા એવી રીતે આપે છે જાને કોઈ ઉપકાર કરી રહી હોય"
આ દરમિયાન, નેશનલ કોન્ફરન્સ (NC) ના ઉપાદ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે કહ્યું હતું કે સરકાર વ્યક્તિગત સ્વતંત્રતા જાણે કોઈની ઉપર ઉપકાર કરી રહી હોય તેવી રીતે આપે છે અને પોતાની ઇચ્છાથી કોઈની પાસેથી છીનવી પણ લે છે. આ સાથે એમ પણ કહ્યું કે ન્યાયતંત્ર તરફથી કોઈ દખલ નથી. નોંધનીય છે કે પાર્ટીના પ્રમુખ ફારુક અબ્દુલ્લાને ઈદ-મિલાદ-ઉન-નબી પર હઝરતબલ દરગાહ પર જવાથી રોકી દેવામાં આવ્યા હતા.