જમ્મુ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીની નજરબંધી બાદ તેની દીકરી ઇલ્તિઝા મુફ્તી કેન્દ્ર સરકાર વિરૂદ્ધ મેદાને પડી છે. આ વખતે ઇલ્તિઝા મુફ્તીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. અમિત શાહને ચેલેન્જ આપી તો કોર્ટ પર સવાલ કરતા ગુજરાતના રમખાણોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ધ હિન્દુના એક રિપોર્ટમાં કહ્યું છે કે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઇલ્તિહા મુફ્તીએ કહ્યું કે, હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સન્માન કરું છું, પરંતુ મને નથી ખબર કે તેમને કાશ્મીર મુદ્દે ભટકાવવામાં આવી રહ્યા છે અને તેઓ દેશને જાણી જોઇને ભટકાવી રહ્યા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ચેતવણી ભર્યા શબ્દોમાં કહ્યું કે, અમિત શાહ ખુદ ત્યાં જાય અને જોવે. હું તેમને સલામ કરીશ અને જો તેઓ કાશ્મીરમાં ખુલ્લેઆમ એકલા ફરીને બતાવે તો.
ઇલ્તિઝા મુફ્તીએ કહ્યું કે કાશ્મીરના લોકો સ્થાનિક નેતાઓ જેવા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે કાશ્મીરના લોકો સ્થાનિક નેતાઓ જેવા મહેબૂબા મુફ્તી, નેશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લા અને ફારૂખ અબ્દુલ્લાથી નારાજ છે. પરંતુ તે કેન્દ્ર સરકારથી ખુબ જ નારાજ છે.
પોલીસને મારા વિરૂદ્ધ ફરિયાદ કરવા દો
ઇલ્તિઝા મુફ્તીએ આરોપ લગાવ્યા છે કે કાશ્મીરના લોકોના મૌલિક અધિકાર પણ નથી દેવામાં આવી રહ્યા. કાશ્મીરના યુવાનો વિરૂદ્ધ VPN ઉપયોગ કરી સોશિયલ મીડિયા ચલાવવા પર થયેલ ફરિયાદને લઇને ઇલ્તિઝાને ચેતવણી આપી છે કે હું પરત જઇને VPNનો ઉપયોગ કરીશ અને પછી પોલીસને મારા વિરૂદ્ધ ફરિયાદ કરવા દો.
2002ના ગુજરાત રમખાણને લઇને કહ્યું...
ઇલ્તિઝા મુફ્તીએ દેશની કોર્ટને પણ નિશાને લીધા અને કહ્યું કે, કોર્ટો પર તેમને વિશ્વાસ ડગી ગયો છે. વ્હિસલબ્લોઅર સંજીવ ભટ્ટ જેલમાં છે, બળાત્કારના આરોપી ચિન્મયાનંદને જામીન મળી ગયા છે. 2002ના ગુજરાત રમખાણ બાદ જે લોકો હતા, તેઓ સમાજ સેવા કરી રહ્યા છે. આ ન્યાયનો વિરોધાભાસ છે.