હરિયાણાના ગુરુગ્રામમાં મેઘાલયના વિધાનસભા સ્પીકરનું નિધન થઇ ગયું છે. લાંબી બીમારીને પગલે દોનકુપર રોયને મેદાંતા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. આજે બપોરે 2 વાગ્યાને 50 મિનિટ પર એમણે અંતિમ શ્વાસ લીધા.
10 નવેમ્બર 1954ને જન્મેલા ડોનકુપર રોય મેઘાલયના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. મેગાલયમાં વિધાનસભામાં ચૂંટણીમાં 2008માં ખંડિત જનાદેશ બાદ યૂડીપી અને અન્ય કેટલાક દળે ગઠબંધનની સરકાર બનાવી હતી. યૂનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ ડોનકુપર રોય મુખ્યમંત્રી બન્યા
ડી.ડી.લાપાંગના મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપ્યા બાદ ડોનકુપર રોયે 19 માર્ચ 2008માં મુખ્યમંત્રી પદના શપથ લીધા. કેમકે ડી.ડી.લપાંગ વિધાનસભામાં બહુમતી સાબિત કરી શક્યા નહોતા. જોકે, 19 માર્ચ 2009એ ડોનકુપર રોયના કાર્યકાળના ઠીક એક વર્ષ થવા પર સરકારને બરખાસ્ત કરી દેવાઇ અને મેઘાલયમાં રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું.
મે 2019માં યૂનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી, પ્રગતિશીલ ગઠબંધનથી અલગ થઇ ગઇ. બાદમાં કોંગ્રેસના ડી.ડી.લપાંગે એકવાર ફરી સરકાર બનાવી. હાલ મેઘાલયમાં કોરનાડ સંગમા મુખ્યમંત્રી છે અને ડોનકુપર રોય સ્પીકર હતા.