કાશ્મીરમાં થઈ રહેલી હિંસા મામલે મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે મોટું નિવેદન આપ્યું છે. જેમા તેમણે કહ્યું કે જ્યારે તેઓ કાશ્મીરમાં રાજ્યપાલ હતા ત્યારે આતંકીઓ ત્યા ઘુસી પણ નહોતા શકતા.
કહ્યું હુ રાજ્યપાલ હતો ત્યારે આંતકીઓ કાશ્મીરમાં નહોતા ઘુસી શકતા
પ્રવાસીઓની સુરક્ષાને લઈને ઉપાય શોધવા માટે કહ્યું
કાશ્મીરમાં સામાન્ય નાગરીકોની હત્યાને લઈને હવે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. આ મામલે ભાજપનાજ માણસો સવાલો ઉઠાવી રહ્યા છે. અગાઉ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સરકાર પર સવાલ ઉઠાવ્યો હતો. ત્યારે વધુંમાં હવે મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક દ્વારા સરકાર સામે સવાલો કરવામાં આવ્યા છે.
નિર્દોષોના મોત પર દુખ વ્યક્ત કર્યું
સત્યપાલ માલિકે એવું નિવેદન આપ્યું છે જ્યારે તેઓ રાજ્યપાલ હતા ત્યારે શ્રીનગરમાં 50 થી 100 કિલોમીટરની સીમા પર કોઈ પણ આતંકી પ્રવેશ પણ નહોતું કરતું. જમ્મુકાશ્મીરમાં હાલ જે આતંકી પ્રવૃત્તિઓ વધી ગઈ છે. તેને લઈને રાજ્યપાલ સત્યપાલ મલિકે દુખ વ્યક્ત કર્યું . સાથેજ તેમણે કહ્યું મારા રહેતા કોઈ પણ આતંકી પ્રવેશ નહોતો કરી શકતો.
કાશ્મીરમાં થતી હિંસા પર દુખ વ્યક્ત કર્યું
વધુમાં સત્યપાલ મલિકે કહ્યું કે તેમણે જમ્મુ કાશ્મીરમાં ઉપરાજ્યપાલ સાથે વાત કરી છે. સાથેજ કાશ્મીરમાં જે હત્યાઓ થઈ રહી છે તેને લઈને તેમણે ચિંતા વ્યક્ત કરી છે. સમગ્ર મામલે તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં જે લોકો કામ કરી રહ્યા છે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જેથી હવે અહિયા પ્રવાસીઓની સુરક્ષાને લઈને ઉપાય શોધવામાં આવે.
બિહારના મુખ્યમંત્રીએ આપ્યું હતું મોટું નિવેદન
અગાઉ કાશ્મીરમાં બે બિહારી મજૂરોના મોત થયા હતા ત્યારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ દુખ વ્યક્ત કર્યુ હતુ. સાથેજ તેમણે આ મામલે કહ્યું હતું કે આતંકીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સાથેજ તેમણે કહ્યું કુલગામમાં જે બન્યું તેનાથી બધાને ઘણી તકલીફ પહોચી છે.
કોંગ્રેસ નેતાએ ઉઠાવ્યા સવાલો
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે કોંગ્રેસ નેતા અધીર આર ચૌધરીએ કહ્યું કે હું જ્યારે કાશ્મીર ગયો ત્યારે મે કિધુ હતું કે અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજને કારણે કાશ્મીર પર તેની ભારે અસર પડી શકે છે સાથે તેમણે કહ્યું કે કાશ્મીરમાં હાલ જે રીતે નિર્દોષ નાગરીકોની હત્યા થઈ રહી છે તે એક ચિંતાનો વિષય બન્યો છે.