કૂતરી મરી જાય ત્યારે તો નેતાઑ શોક વ્યક્ત કરે છે : મલિક
કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાની સામે આશરે ચાર મહિનાથી આંદોલન કરવામાં આવી રહ્યું છે અને સરકાર આ આંદોલનમાં જ્યાં સમાધાન કરાવવામાં અસફળ રહી છે ત્યાં બીજી તરફ મેઘાલયના રાજ્યપાલ સતપાલ મલિકે એક મોટું નિવેદન આપ્યું છે. સતપાલ મલિક આ પહેલા પણ પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં આવતા રહ્યા છે.
કૂતરી પણ મરી જાય તો...:મલિક
એક ખાનગી કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ખેડૂત આંદોલન લાંબુ ચાલ્યું તે કોઈના પણ હીતમાં નથી. કુતરી મરી જાય ત્યારે તો આપણાં નેતાઓનો શોક સંદેશ આવી જાય છે પણ 250 ખેડૂતો મરી ગયા પણ કોઈ બોલ્યા નહીં. મારી આત્માને દર્દ થાય છે. આ એવો મામલો જ નથી જેનું સમાધાન ન આવી શકે. મામલો સમાપ્ત થઈ શકે છે. ખેડૂત આંદોલનમાં સરકાર ખેડૂતો વચ્ચે મધ્યસ્થ બનવાના સવાલ પર મલિકે કહ્યું કે તે એક બંધારણીય પદ પર છે અને તે મધ્યસ્થ ન બની હસકે. કૃષિ કાયદા પર ખેડૂતો એક છે.
એમએસપી મોટો મુદ્દો છે : મલિક
તેમણે વધુમાં કહ્યું કે MSP મુદ્દો છે. જો MSP લીગલાઇઝ કરી દેવામાં આવે તો આ મુદ્દો સરળતાથી પૂરો થઈ જશે. દેશભરમાં ખેડૂતો વચ્ચે આ મુદ્દો બનેલો છે. તેમણે આગળ વધુમાં કહ્યું કે મારુ માનવું છે કે ખેડૂત આંદોલન જલ્દી સમાપ્ત થઈ જશે. બધા પોતપોતાની જગ્યાએ યોગ્ય છે.
ચાર મહિનાથી આંદોલન કરી રહ્યા છે ખેડૂતો
નોંધનીય છે કે ખેડૂતો આશરે 4 મહિનાથી દિલ્હી અને આસપાસની બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે અને ખેડૂતોએ હવે સરકાર સામેની રણનીતિ બદલી છે. ખેડૂતો હવે દેશના જુદા જુદા રાજ્યોમાં જઈને સરકાર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને જે રાજ્યોમાં ચૂંટણી છે ત્યાં તો ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.