નાગરિકતા સંશોધન બિલને લઈને મેઘાલય, ત્રિપુરા અને આસામામાં વિરોધ પ્રદર્શનના કારણે સ્થિતિ તંગ બની છે. આ કારણે સાવચેતી રૂપે મેઘાલયમાં મોબાઈલ ઈન્ટરનેટ અને મેસેજિંગ સેવા બેન કરી દીધી છે. રાજ્ય ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીના આધારે 48 કલાક માટે મેઘાલયમાં મોબાઈલ ઈન્ટરનેટ અને મેસેજિંગ સેવા બંધ કરી દેવામાં આવી છે. ગુવાહાટીમાં નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર પોલિસે ફાયરિંગ કર્યું છે જેમાં 2 લોકોના મોત થયા છે.
નાગરિકતા સંશોધન બિલનો ઉગ્ર વિરોધ
આસામ-મેઘાલય અને ત્રિપુરામાં સ્થિતિ તંગ
48 કલાક માટે મોબાઈલ ઈન્ટરનેટ અને SMS બેન
નાગરિકતા સંશોધન બિલને લઈને નોર્થ ઈસ્ટમાં અનેક જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. પૂર્વોત્તરના 3 રાજ્યો આસામ, મેઘાલય અને ત્રિપુરામાં હિંસા રોકાઈ રહી નથી. સ્થિતિને કાબૂમાં લાવવાને માટે સુરક્ષાદળનું ફ્લેગ માર્ચ પણ કરાવવામાં આવી રહ્યું છે. સંસદ દ્વારા નાગરિકતા સંશોધન બિલ પાસ થયા બાદ ઉત્તર પૂર્વના રાજ્યોમાં સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. આ સમયે ગુવાહાટીમાં નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ પર પોલિસે ફાયરિંગ કર્યું છે જેમાં 2 લોકોના મોત થયા છે.
મેઘાલયમાં 48 કલાક માટે મેસેજિંગ અને મોબાઈલ ઈન્ટરનેટ બંધ
મેઘાલયમાં સ્થિતિ કાબૂમાં લાવવા માટે મોબાઈલ ઈન્ટરનેટ અને મેસેજિંગ સેવાને બેન કરી દેવામાં આવી છે. રાજ્ય ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર 48 કલાક માટે મેઘાલયમાં મોબાઈલ ઈન્ટરનેટ અને મેસેજિંગ સેવા બંધ કરી દેવામાં આવી છે.
આ પહેલાં નોર્થ ઈસ્ટના અનેક વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટ અને મેસેજિંગ સેવા પર પાબંધી લગાવવામાં આવી છે. જ્યારે ગુવાહાટી બાદ શિલોન્ગમાં પણ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. તો આસામના ડિબ્રૂગઢમાં સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી કર્ફ્યૂમાં રાહત આપવામાં આવી છે. અન્ય તરફ મેઘાલયમાં પણ સ્થિતિને થાળે પાડવા મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ ગુરુવારે રાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત લીધી હતી. બંનેએ નાગિરકતા સંશોધન બિલને લઈને ચર્ચા કરી હતી. ઉત્તર પૂર્વના મુખ્યમંત્રીઓમાં સંગમાનું નામ પણ સામેલ છે, જે આ બિલનો શરૂઆતથી વિરોધ કરી રહ્યા છે.
વિરોધ પ્રદર્શનકારોએ ધારાસભ્યના ઘર અને વાહનો સળગાવ્યા, પોલીસ અધિકારી સસ્પેન્ડ
સંસદમાંથી પસાર થયેલા નાગરિકતા સંશોધન બિલને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. પ્રદર્શનકર્તાઓએ ગુરુવારે એક ધારાસભ્યના ઘર, વાહન અને સર્કલ ઓફિસને આગ ચાંપી હતી. સરકારે કાર્યવાહી કરતાં ગુવાહાટીના પોલીસ કમિશ્નર સહિત મુખ્ય પોલીસ અધિકારીને પણ સસ્પેન્ડ કરાયા છે.
ગુવાહાટીમાં સેનાનું ફ્લેગ માર્ચ
ગુવાહાટીના નવા પોલીસ પ્રમુખ દીપક કુમારના સ્થાને મુન્ના પ્રસાદ ગુપ્તાને બનાવવામાં આવ્યા છે જ્યારે પોલીસ મહાનિર્દેશક મુકેશ અગ્રવાલની પણ બદલી કરી દેવામાં આવી છે. ગુવાહાટીમાં સેનાએ ફ્લેગ માર્ચ કર્યું. પ્રશાસને સેવાઓ બંધ કરી છે. આ સાથે ડિબ્રૂગઢ અને ગુવાહાટીથી આવતી- જતી ફલાઈટ્સ પણ બંધ કરી છે. ટ્રેન વ્યવહાર પણ રોકી દેવામાં આવ્યો છે.
આસામના મુખ્યમંત્રીની લોકોને અપીલ
આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે લોકોને શાંત રહેવા અને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે. તેઓએ એક નિવેદનમાં કહ્યું છે કે હું આસામના લોકોને તેમની ઓળખ આપવા અને સુરક્ષા આપવા માટેનું આશ્વાસન આપું છું.