કોરોનાવાયરસ મહામારી સામેની જંગ જીતવા માટે કેન્દ્ર સરકારે મેગા પ્લાન તૈયાર કર્યો છે. સરકારની યોજના આવનારા એક અઠવાડીયામાં દેશના 11 રાજ્યોમાં 27 જિલ્લાઓમાં આ પ્લાનની રણનીતિ હેઠળ કાર્ય કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. આ જિલ્લાઓ એવા છે જ્યાં દેશના અંદાજે 70 ટકા લોકો કોરોનાથી સંક્રમિત દર્દી છે. આ જિલ્લાઓ માટે ખાસ રણનીતિ બનાવ્યા બાદ જ સરકાર લોકડાઉનમાં ધીરે-ધીરે છૂટછાટ આપવાની પ્રક્રિયા હાથ ધરશે.
સરકાર માટે કોરોનાના સંબંધિત કેટલાંક આંકડાઓ રાહત લઇને આવ્યાં છે. કોરોના વાયરસનું સંક્ટ દેશના કેટલાક ખાસ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. દેશના કુલ 26000 થી વધારે કોરોનાના દર્દીઓમાંથી 70 (અંદાજે 18000 દર્દી) દેશના 11 રાજ્યોના 27 જિલ્લા સુધી જ સીમિત છે. આ આંકડાઓએ સરકારને અન્ય થોડા ઓછા પ્રભાવિત અથવા જ્યાં કોરોનાનો એક પણ કેસ નથી સામે આવ્યો તે વિસ્તારોમાં લોકડાઉનમાં છૂટછાટ આપવાને લઇને હિંમત આપી છે.
સૂત્રોને મળતી જાણકારી મુજબ કન્ટેન્મેટ વિસ્તારોને છોડીને દેશના અન્ય ભાગમાં શરતો આધીન સીમિત દુકાનો ખોલવાની મંજૂરી આ આંકડાઓના આધારે આપવામાં આવી. પ્રધાનમંત્રી દ્વારા ગઠિત રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતાવાળા મંત્રી સમૂહ (GOM) દ્વારા આ આધાર પર લોકડાઉનમાં છૂટછાટ આપવાની ભલામણ કરવામાં આવી હતી.
શું છે રણનીતિ
કેન્દ્ર સરકારની રણનીતિ છે કે આ 27 જિલ્લાઓની ઘેરાબંધી કરીદેવામાં આવે. આ જિલ્લાઓમાં લોકડાઉનનું કડક પાલન કરાવાની સાથે કોરોનાની તપાસ પણ વધારવામાં આવે. સરકારની યોજના છે કે ત્રણ મે બાદ આ જિલ્લાઓમાં સંક્રમિતોની સંખ્યા કોઇપણ ભોગે રોકવામાં આવે. સરકારને આશા છે કે 3 મે બાદ પહેલા અઠવાડિયામાં દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સ્થિર અથવા ઘટતી જોવા મળી શકે છે.
અમદાવાદ-મુંબઇની સૌથી વધારે ચિંતા
કેન્દ્ર સરકારને ગુજરાતના ત્રણ જિલ્લા અમદાવાદ, સુરત અને વડોદરા શહેરની સાથે મહારાષ્ટ્રના ત્રણ જિલ્લા મુંબઇ, પુના અને ઠાણે ને લઇને ઘણી ચિંતા છે. અહીં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધવાની ઝડપ ખતરનાક સ્તર પર જોવા મળી રહી છે.
સરકારની યોજના આ જિલ્લાઓેની સરહદને સંપૂર્ણ રીતે સીલ (બંધ કરી) આ જિલ્લાને સતત સેનેટાઇઝ કરી, આરોગ્ય સુવિધાઓ યુદ્ધ સ્તર પર વધારવી તેમજ કોરોનાની તપાસ વ્યાપક સ્તર પર કરવાની છે. સરકારના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદમાં જો આવનારા ત્રણ-ચાર દિવસમાં પરિસ્થિતિ કાબુમાં નહી આવે તો કોરોનાના કહેરને રોકવો મુશ્કેલ બનશે.