આજથી બ્રહ્મ સમાજની બિઝનેસ સમિટનો પ્રારંભ થઇ રહ્યો છે. અડાલજ ત્રિમંદિર ખાતે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-2મ યોજાઇ રહી છે. જેમાં રાજ્યપાલ, CM, DyCM, કેબિનેટ મંત્રીઓ હાજર રહેશે. આ ઉપરાંત રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા સહિત બ્રહ્મ સમાજના સાંસદ, ધારાસભ્યો, કલાકારો હાજર રહેશે. ત્યારે બિઝનેસ સમિટ પહેલા ધર્મસભા યોજાઇ રહી છે. જેમાં રાજ્યના સાધુ-સંતો પહોંચ્યા છે. બિઝનેસ સમિટમાં યુવાઓને રોજગારી આપવાનું લક્ષ્ય છે.
આજથી બ્રહ્મ સમાજની બિઝનેસ સમિટનો પ્રારંભ
મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-2નો પ્રારંભ
અડાલજ ત્રિમંદિર ખાતે 3 દિવસ સુધી બિઝનેસ સમિટ
રાજ્યપાલ, CM, DyCM, કેબિનેટ મંત્રીઓ રહેશે હાજર
આ આયોજ યજ્ઞેશ દવે દ્વારા કરવામાં આવ્યું છે. ધર્મસભાના સંયોજક કનૈયાલાલ છે. આ સાથે ચૈતન્ય અધ્યારૂ અને અખિલેશદાસજી પણ આયોજનમાં મદગાર છે.
અડાલજમાં આવેલા ત્રિમંદિરમાં સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્ય કક્ષા તરફથી આજે 3 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી બ્રાહ્મણ બિઝનેસ સમિટ શરૂ થઈ છે. આ ત્રણ દિવસ દરમિયાન બિઝનેસ સમિટમાં રોજગાર મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ 32 કંપનીઓ આવશે અને 6 હજારથી વધારે પોસ્ટ માટેની જોબ ઓફર કરશે.
રોજગાર મેળાનું આયોજન
મદદનીશ નિયામક કચેરી, રોજગારના સહયોગથી આ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. આ રોજગાર મેળામાં બ્રાહ્મણ સમાજ ઉપરાંત તમામ જ્ઞાતિના બેરોજગાર યુવાનો ભાગ લઈ શકશે. આ રોજગાર મેળામાં ભાગ લેવા માટે સવારે 11 વાગ્યથી ટોકન નંબર આપવાનું શરૂ કરાયું હતું. જ્યારે બપોરે 12થી 4 વાગ્યા સુધી રોજગાર દાતાઓ તરફથી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત મુજબ રોજગારી
બ્રાહ્મણ ઉપરાંત તમામ જ્ઞાતિના યુવાનો કે, જેઓ ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ કે ગ્રેજ્યુએટ હોય તેઓ આ રોજગાર મેળામાં ભાગ લઈ શકશે. રોજગાર કચેરીમાં નોંધણી કરાવેલા અને ન નોંધણી કરાવેલા ઉમેદવારોને પણ આ રોજગાર મેળામાં ભાગ લેવાની તક ઉપલબ્ધ છે.
આવતીકાલે સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માર્ગદર્શન
4 જાન્યુઆરી શનિવારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેનો માર્ગદર્શન કાર્યક્રમ પણ યોજવામાં આવશે. આ રોજગાર મેળામાં કુલ 32 કંપનીઓ તરફથી 6 હજારથી વધારેની પોસ્ટ માટેની વિવિધ પ્રકારની જોબની ઓફર કરવામાં આવશે. આ રોજગાર મેળામાં ભાગ લેવા આવતા તમામ ઉમેદવારોને વિવિધ કંપનીઓ દ્વારા વાર્ષિક 96 હજારથી 7 લાખ સુધીના પેકેજ ઓફર કરવામાં આવશે.