સમગ્ર બોલીવુડમાં #Meetoo અભિયાન હેઠળ અભિનેત્રીઓએ પોતાની આપવીતી સંભળાવી છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં #Meetoo અભિયાન હેઠળ ઘણી મહિલાઓ બહાર આવી છે. જ્યારે હવે આ મામલે અભિનેત્રી જૈકલીન ફર્નાડિસે પણ #Meetooને સપોર્ટ કર્યો છે અને ચોંકાવનારુ નિવેદન આપ્યું છે.
અભિનેત્રી જૈકલીન ફર્નાડિસે કહ્યું કે યોનશોષણ માત્ર ફિલ્મ જગતથી જોડાયેલ મુદ્દો નથી. આ સમગ્ર સમાજમાં સમગ્ર દેશમાં અલગ-અલગ ફિલ્ડની ઘણી મહિલાઓ સાથે વ્યાપક છે. આ ઉપરાંત અભિનેત્રીએ જણાવ્યું કે દુર્ભાગ્યએ છે કે આટલું થવા છતાં આરોપીઓ ખુલ્લે આમ ફરે છે. આ મુદ્દો માત્ર સેક્સનો નથી પરંતુ શક્તિ સંઘર્ષનો છે. જેથી આ મુદ્દા પર વિચારવું જોઇએ અને આ મુદ્દાનો કંઇક નિર્ણય લાવવો જોઇએ.
તમને જણાવી દઇએ કે #MeToo અભિયાન હેઠળ પાછલા કેટલાક દિવસોમાં યૌન શોષણના મામલાઓ સામે આવ્યા છે. આ કેસો પર કાર્યવાહી કરવા માટે કેન્દ્રની મોદી સરકારે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની રચના કરી છે.
આ કમિટીની આગેવાની ગૃહમંત્રી રાજનાથસિંહ કરશે. કમિટીનું કામ કાર્યસ્થળ પર થનાર યૌન શોષણના કેસો પર કાર્યવાહી કરવા માટે કાયદો અને સંસ્થાઓને મજબૂત કરવા માટે નવા દિશા-નિર્દેશ નક્કી કરવાના રહેશે. આ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સમાં રાજનાથસિંહ નિર્મતા સીતારમણ મેનકા ગાંધી અને નિતિન ગડકરી રહેશે.
ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ 3 મહિનાની અંદર તે જણાવશે કે કેવી રીતે મહિલાઓના કાર્યસ્થળ પર થઈ રહેલા જાતિય શોષણના મામલાઓ ઓછા કરી શકાય છે. સરકારને જાણકારી આપવામાં આવી છે કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ઈલેક્ટ્રોનિક કમ્પલેન બોક્સની રચના કરવામાં આવી છે.
જેમાં મહિલાઓ પોતાની ફરિયાદ નોધાવી શકે છે. એક વખત જ્યારે ફરિયાદ આ શી બોક્સમાં જશે તો ત્યાથી તે ડાયરેક ફરિયાદ ઓર્થોરિટી પાસે આપમેળે જતી રહેશે. MeToo કેમ્પેન હેઠળ મહિલાઓ વિરૂદ્ધ કાર્યસ્થળો પર યૌન શોષણના ઘણા બધા કેસ સામે આવ્યા છે.
આ કારણે દેશની રાજનીતિ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ભૂકંપ આવી ગયો હતો. વિદેશ રાજ્યમંત્રી એમજે અકબર પર આ અભિયાન હેઠળ ઘણા બધા આરોપ લાગ્યા છે જેના કારણે તેમને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.