પ્રધાનમંત્રી મોદીની વરિષ્ઠ બ્યુરોકેટ્સ સાથે બેઠકમાં અમુક અધિકારીઓએ કેટલાય રાજ્યો દ્વાર જાહેર યોજનાઓ બરાબરની નથી, જેના પરિણામો આપણી હાલત પણ શ્રીલંકા જેવી થઈ શકે છે.
પીએમ મોદી અને બ્યૂરોકેટ્સ સાથે બેઠક
બેઠકમાં ટોપના સચિવોએ ચિંતા વ્યક્ત કરી
આપણી હાલત પણ શ્રીલંકા જેવી થઈ શકે છે
પ્રધાનમંત્રી મોદીની વરિષ્ઠ બ્યુરોકેટ્સ સાથે બેઠકમાં અમુક અધિકારીઓએ કેટલાય રાજ્યો દ્વાર જાહેર કરવામાં લોકહિતની યોજનાઓ પર ચિંતા વ્યક્ત કરીને દાવો કર્યો છે, કે આર્થિક રીતે આ યોજનાઓ વ્યવહારિક નથી અને તે આપણને શ્રીલંકાના રસ્તે લઈ જઈ શકે છે. આ વાત સૂત્રોએ રવિવારે જણાવી છે.
ચાર કલાકની મેરેથોન બેઠક
પ્રધાનમંત્રીએ શનિવારે 7, લોકકલ્યાણ માર્ગ સ્થિત પોતાના શિબિર કાર્યાલયમાં આવેલા તમામ વિભાગના સચિવો સાથે ચાર કલાકની લાંબી બેઠક કરી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલ, પ્રધાનમંત્રીના પ્રધાન સચિવ પીકે મિશ્રા અને કેબિનેટ સચિવ રાજીવ ગૌબા ઉપરાંત કેન્દ્ર સરકારના અન્ય ટોચના બ્યૂરોકેટ્સ પણ સામેલ થયા હતા. 2014 બાદથી પ્રધાનમંત્રીની સચિવો સાથેની આ નવમી બેઠક હતી.
સચિવોએ પ્રધાનમંત્રી મોદી સાથે પોતાના ફિડબેક શેર કર્યા
સૂત્રોએ જણાવ્યું છે કે, 24થી વધારે સચિવોએ પોતાના વિચાર વ્યક્ત કર્યા અને પ્રધાનમંત્રી મોદી સાથે ફીડબેક શેર કર્યા હતા.જેમણે આ બધાને ધ્યાનથી સાંભળ્યા હત. બે સચિવોએ હાલની વિધાનસભા ચૂંટણીમાં એક રાજ્યમાં જાહેર કરવામાં આવેલી યોજનાનો ઉલ્લેખ કર્યો હતો, જે આર્થિક રીતે ખરાબ સ્થિતિમાં છે. તેમણે સાથે જ અન્ય રાજ્યોમાં આવી રીતની યોજનાઓનો હવાલો આપતા કહ્યું કે, તે આર્થિક રીતે ટકાઉ યોજના નથી અને આ રાજ્યોની હાલત શ્રીલંકા જેવી થઈ શકે છે.
ગરીબીનો હવાલો આપીને મુખ્ય વિકાસ પ્રોજેક્ટસ પર આગળ નહીં વધવાની પરિપાટી
બેઠક દરમિયાન મોદીએ બ્યૂરોકેટ્સને સ્પષ્ટ રીતે કહ્યું કે, શોર્ટેજના મેનેજમેન્ટની માનસિકતાથી બહાર નિકળીને સરપ્લસના મેનેજમેન્ટના નવા પડકારનો સામનો કરે. મોદીએ આ મુખ્ય વિકાસ પ્રોજેક્ટસ પર આગળ નહીં વધવાના બહારના તરીકે ગરીબીનો હવાલો આપતા જૂની પરિપાટી છોડીને અને મોટા દ્રષ્ટિકોણ અપનાવા કહ્યું છે.
સચિવોએ છ ક્ષેત્રિય સમૂહોનું ગઠન કર્યું
કોવિડ 19 મહામારી દરમિયાન સચિવોએ જેવી રીતે સાથે મળીને એક ટીમની માફક કામ કર્યું, તેનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે, તેમણે ભારત સરકારના સચિવો તરીકે કામ કરવું જોઈએ ન કે પોતાના સંબંધિત વિભાગોના સચિવ તરીકે તેમને એક ટીમ તરીકે કામ કરવું જોઈએ. તેમણે સચિવોને સરકારની નીતિઓમાં ખામીઓ પર ફીડબેક અને સૂચવો આપવા પણ કહ્યું, જેમાં તે નીતિઓ પણ શામેલ છે. જે તેમના સંબંધિત મંત્રાલયોથી સંબંધિત નથી. આવી બેઠકો ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ શાસનમાં સમગ્ર સુધાર માટે નવા વિચારોનું સૂચન આપવા માટે સચિવોને છ ક્ષેત્રિય સમૂહો બનાવાની પણ વાત કહી છે.