કોંગ્રેસ સાથે જોડાયેલા પાટીદાર અગ્રણીઓની આજે અમદાવાદમાં બેઠક. જેમાં કોંગ્રેસને મજબૂત કરવા પાટીદાર અગ્રણીઓએ શું કરવું તે અંગે ચર્ચા થશે.
કોંગ્રેસ સાથે જોડાયેલા પાટીદાર અગ્રણીઓની આજે બેઠક
કોંગ્રેસને મજબૂત કરવા પાટીદાર અગ્રણીઓએ શું કરવું તે અંગે થશે ચર્ચા
કોંગ્રેસ નેતા કદિર પીરઝાદાના નિવેદન અંગે પણ થશે ચર્ચા
અમદાવાદમાં આજે એસ.જી હાઈવેના એક પાર્ટી પ્લોટમાં કોંગ્રેસ સાથે જોડાયેલા પાટીદાર અગ્રણીઓની મહત્વની બેઠક મળશે. કોંગ્રેસ નેતા મનહર પટેલની આગેવાનીમાં આ બેઠક યોજાશે.
કોંગ્રેસની પરિસ્થિતિ અંગે પાટીદાર અગ્રણીઓની ચર્ચા થશે
તમને જણાવી દઇએ કે, આ બેઠકમાં કોંગ્રેસની પરિસ્થિતિ અંગે પાટીદાર અગ્રણીઓની ચર્ચા થશે. કોંગ્રેસને મજબૂત કરવા પાટીદાર સમાજે શું કરવું તે અંગે બેઠકમાં ચર્ચા થશે. બપોરે SG હાઈવેના એક પાર્ટી પ્લોટમાં બેઠક મળશે. કોંગ્રેસમાં હોદ્દો ધરાવતા પાટીદાર અગ્રણીઓ બેઠકમાં હાજર રહેશે. અલગ-અલગ જિલ્લામાંથી બેઠક માટે પાટીદાર અગ્રણીઓ આવશે. કોંગ્રેસના નેતા મનહર પટેલની આગેવાનીમાં બેઠક મળશે. આ બેઠકમાં કોંગ્રેસ નેતા કદિર પીરઝાદાના નરેશ પટેલ અંગેના નિવેદનને લઇને પણ બેઠકમાં ચર્ચા થશે.
11 ટકા માટે હાર્દિક-નરેશ પટેલ પાછળ કોંગ્રેસ પડી અને લઘુમતિને ભૂલી જાય છે: કદિર પીરઝાદા
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ કદિર પીરજાદાએ થોડાંક દિવસ અગાઉ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, 11 ટકા માટે હાર્દિક-નરેશ પટેલ પાછળ કોંગ્રેસ પડી અને લઘુમતિને ભૂલી જાય છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા સામેથી આવ્યા હતા તેવું નિવેદન આપ્યું હતું. જેને લઇને વિવાદ વકર્યો છે. PAAS નેતા દિનેશ બાંભણિયા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખીને કદિર પીરજાદા માંફી માગે તેવી માગ કરી છે. બાંભણિયાએ કહ્યું કે જો પીરજાદા માફી નહીં માગે તો કોંગ્રેસનો વિરોધ કરીશું.
પીરજાદા માફી નહીં માગે તો કોંગ્રેસનો વિરોધ કરીશુંઃ દિનેશ બાંભણિયા
પીરજાદા કદિર ભાઇએ નરેશ પટેલને લઇને જે નિવેદન કર્યું છે તેને લઇને પાટીદાર સમાજમાં ખુબ જ દુઃખ અને આક્રોષની લાગણી ઉભી થઇ છે. ત્યારે, કોંગ્રેસ પ્રમુખને વિનંતી કરું છું કે, જવાબદાર હોવાના નાતે કોઇપણ સમાજ વિશે આવી ટિપ્પણી કરવી યોગ્ય નથી. તો આજને આજ માફી માંગવામાં આવે અને કોંગ્રેસ પક્ષ પોતાનો ખુલાસો કરે, વિનંતીની સાથે ચેતવણી પણ આપીએ છીએ. જો ટુંક સમયમાં માફી નહીં માગવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ હોદ્દેદારોનો વિરોધ કરીશું.
જુઓ શું બોલ્યા હતા કદિર પીરજાદા ?
કદિર પીરજાદાએ કહ્યું હતું કે, 'તમે 11 ટકા માટે તમે હાર્દિક અને નરેશ પટેલની પાછળ પાછળ ભાગતા હતા. તમે એ ભૂલી ગયા છો કે આ લોકો(લઘુમતી) કોંગ્રેસની સરકાર બનાવતા હતા. અમે જગદીશ ઠાકોરને પહેલાથી કહેતા હતા કે, અમારા છે તેની તાકાતથી 120 સુધી પહોંચવાની કોશિશ કરો અને મને જોડો. અમને ભૂલી જશો તો શું થશે, અમને પ્રતિનિધિત્વ નહીં આપો તો શું થશે. ખુદ હી કો કર બુલંદ ઇતના ,કી હર તકદીર સે પહેલે ખુદા બંદે સે ખુદ પૂછે ,બતા તેરી રજા કયા હે ? ફરીયાદ કરવાનું છોડી દો.'