કોંગ્રેસ જૂથવાદમાં જ પડેલી જોવા મળી રહ્યું છે, અગાઉ નરેશ વલના ઘરે મળેલા કોંગ્રેસના નેતાઓ એ આજે ફરીવાર બેઠક યોજી, જે જુલાઈ મહિનામાં સોનિયા ગાંધીને મળવા જઈ શકે છે
ગુજરાત કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધીને મળશે
સોનિયા ગાંધીએ જુલાઈના પ્રથમ સપ્તાહમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓને બોલાવ્યા
નરેશ રાવલના ઘરે બેઠક કરનાર નેતાઓને આપ્યો સમય
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ રાજકીય પાર્ટીઓએ શરૂ કરી દીધી છે. ત્યારે કોંગ્રેસ ગ્રુપઇઝમમાં જ પડેલી જોવા મળી રહ્યું છે. અગાઉ નરેશ વલના ઘરે મળેલા કોંગ્રેસના નેતાઓ એ આજે ફરીવાર બેઠક યોજી. જે જુલાઈ મહિનામાં સોનિયા ગાંધીને મળવા જઈ શકે છે.
ગુજરાત કોંગ્રેસ ના અગાઉ મળેલા નેતાઓની ફરી એકવાર નરેશ રાવલ ના ઘરે બેઠક મળી જેમાં અગાઉ હાજર રહેલા નેતાઓ શૈલેષ પરમાર, રાજુ પરમાર, હિંમતસિંહ પટેલ, ઇન્દ્રવીજયસિંહ ગોહિલ, અમી યાજ્ઞિક, ડી.જે.ચાવડા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. આ નેતાઓએ અગાઉ સોનિયા ગાંધીને મળવાનો સમય માંગ્યો હતો. જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં સમય અપાયો હોવાથી આ નેતાઓ આગામી સમયે દિલ્લી જઇ પોતાની માંગ કરશે.
એમની માગણી છે કે, જલ્દી નિરીક્ષકની નિમણૂંક થાય તો, રાજકીય ચહલ પહલ શરૂ થઈ શકે. પક્ષના ડેકોરમથી બહાર ખાનગી જગ્યા પર બેઠક યોજતા આ નેતાઓ પર જ્યારે ગ્રૂપવાદના આક્ષેપો થયા. ત્યારે તેઓ જૂનો રાગ અમે પક્ષની કામગીરી માટે એકત્રિત થયા હોવાનું જણાવે છે.
જે બાબતો સામે આવી રહી છે. એ મુજબ આ ગ્રૂપના સભ્યોએ અગાઉની બેઠકમાં એ બાબત નક્કી કરી હતી કે, અગાઉના પ્રમુખોને ફરી એકવાર તક આપવાને બદલે નવા સભ્યોને પસંદ કરવામાં આવે. અને નવા નેતાઓમાં કોને ચાન્સ આપવામાં આવે એ નામો આ ગ્રૂપે જાતે જે નામ નક્કી કર્યા છે. જે નવા નેતા વિપક્ષ અને પ્રદેશ અધ્યક્ષ બનાવવા માટે માંગ કરવામાં આવનાર છે. એના પર નજર કરવામાં આવે તો, એ તમામ નામો આ ગ્રૂપના સભ્યના જ છે.
પ્રદેશ અધ્યક્ષ માટે જેમના ઘરે બેઠક મળી હતી. તે નરેશ રાવલ, જગદીશ ઠાકોર અને નારણ રાઠવામાંથી કોઈ એકના નામ નક્કી કરવા ભલામણ થશે. જ્યારે નેતા વિપક્ષના માટે શૈલેષ પરમાર, પુંજાભાઈ વંશ અને વીરજી ઠુમ્મરના નામની ભલામણ કરાશે. જે રીતે આ નેતાઓ નરેશ રાવલના ઘરમાં બેસીને પક્ષ માટે એજન્ડા નક્કી કરી રહ્યાના દાવાઓ કરી રહ્યા છે. એ દર્શાવી રહ્યું છે કે, આ એક ગ્રૂપ જે પોતાને આખી કોંગ્રેસથી અલગ સમજી રહ્યું છે. અને સાથે જ ગ્રૂપઇઝમ ના હોવાનું પણ જણાવી રહ્યું છે.