વિપક્ષના દંડક અશ્વિન કોટવાલે વોકઆઉટ બાદ કર્યા સરકાર પર આક્ષેપ કર્યા હતા કે સમિતિ સાથે થયેલા સમાધાનમાં સરકાર બાંધછોડ કરે છે
આદિવાસી પ્રમાણપત્રની વિસંગતતાનો મામલો
આદિવાસી વિકાસમંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં મળી બેઠક
બેઠકમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો સાંસદો હાજર રહ્યા
ગુજરાતમાં વસવાટ કરતા આદિવાસી જાતિ પ્રમાણપત્રના કેટલાક પ્રશ્નોને લઈને આદિજાતિ મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી આ બેઠકમાં આદિજાતિ વિસ્તારના તમામ ધારાસભ્ય અને સાંસદ સભ્યો ને નિમંત્રણ આપવામાં આવ્યું હતું .બેઠકમાં તમામ ધારાસભ્ય અને વિપક્ષ નેતા સુખરામ રાઠવા હાજર રહ્યા હતા બેઠકમાં ગુજરાત અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર કાઢી આપવાનું અને તેની ખરાઇ કરવાનું નિયમન કરવા આ બાબતના નિયમો 2020 સુધારા સંબંધિત જાહેરનામું બાબતે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ખાસ કરીને સાચા આદિવાસી પ્રમાણપત્રો થી વંચિત ન રહી જાય અને ફોટા આદિવાસી પ્રમાણપત્ર ન મેળવી શકે એ બાબતે ચર્ચા કરવામાં આવી હતી જોકે 2020 ના નોટિફિકેશનની કેટલીક ક્ષતિઓ બાબતે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી
તલાટીએ સમર્થન કરેલા વંશાવલી નો પુરાવો માન્ય રહેશે
કોઈ પણ સાચા આદિવાસી ને પ્રમાણપત્ર લઈને કોઈ સમસ્યા હોય તો તે સમિતિ સામે પુરાવા આધારે રજૂઆત કરે તો તેને પ્રમાણપત્ર આપવાનું રહેશે 2020 ના નોટિફિકેશન આધારે આદિવાસી પ્રમાણપત્ર માટે તલાટીએ સમર્થન કરેલા વંશાવલી નો પુરાવો માન્ય રાખવામા આવશે આ ઉપરાંત પ્રમાણપત્ર માટે લાઈટ બિલ આકારણી રજીસ્ટરની રસીદ આધાર કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ રેશનકાર્ડ મતદાનની ઓળખ પત્ર તથા બેંક પાસબુકની પણ પુરાવા તરીકે રજુ કરી શકાશે
આદિવાસી ને કોઈ નુકસાન ન થાય તે માટે અમે તરફેણમાં: વિપક્ષ નેતા સુખરામ રાઠવા
આ આગે વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ કહ્યું હતું કે રાજ્યમાં 14 જિલ્લામાં વસતા આદિવાસીઓને કેટલીક ક્ષતિને કારણે પ્રમાણપત્ર મેળવવા માં તકલીફ પડતી હતી.1976 પછીના જેની પાસે જમીન નથી, પુરાવા નથી તેમને પણ પ્રમાણપત્ર મળી શકશે. સરકાર ના નવા નિર્ણય થી લોકો ની સમસ્યાનું સમાધાન થશે.આદિવાસી ને કોઈ નુકસાન ન થાય તે માટે અમે તરફેણ માં છીએ.ગીર બરડા પ્રશ્ન ને અમેં અડતા નથી.સમાજ માટે હિત ધરાવતા લોકો એ બેઠક માં આવવું જોઈએ.
આદિવાસી વિકાસમંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં મળી બેઠક
આદિજાતિ મંત્રીએ પણ સાચા આદિવાસી જાતિ પ્રમાણ પત્ર બાબતે કોઈ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા સરકારે કરી છે. તેમને જણાવ્યું હતું કે. 14 જિલ્લા ના આદિવાસીઓને પ્રમાણપત્ર માટે તકલીફ પડી રહી હતી.જાતી અંગેના પ્રમાણપત્ર માટે 2020 પછી વધુ તકલીફ પડતી હતી માટે તે માં સુધારો જરૂરી હતો.આદિવાસી જાતિ પ્રમાણ પત્ર બાબતે 4 થી બેઠક કરી છે..સાચા આદિવાસી જો અમે મંગેલા પુરાવા રજૂ કરશે તો પ્રમાણપત્ર મેળવવામાં કોઈ તકલીફ નહિ પડે.કોંગ્રેસ ના સુખરામભાઈ, સહિત ના કોંગ્રેસ ના mla હાજર હતા..અમારી વિશ્લેષણ સમિતિ પુરાવા ઓ અને મુશ્કેલીઓ નું વિશ્લેષણ કરશે.14 જિલ્લામાં જે મુશ્કેલીઓ ધ્યાન માં આવી તે દૂર કરવામાં આવશે..અશ્વિન ભાઈ આ બેઠક માં હતા, તે સહમત હતા.. સમાજ ના હિત ની તેમણે ચિંતા કરી છે. સાચા આદિવાસીઓની મુશ્કેલીઓ દૂર કરવામાં આવશે