મહારાષ્ટ્રમાં NCPની કોર કમિટીની બેઠક મળી રહી છે. આ બેઠકમાં શરદ પવાર સહિતના વરિષ્ઠ નેતાઓ હાજર છે. આ બેઠકમાં કોંગ્રેસમાં NCPના વિલય અંગે ચર્ચા થઈ શકે છે. મહત્વનું છે કે આ મામલે રાહુલ ગાંધીએ પણ શરદ પવાર સાથે બેઠક કરી હતી.
જો NCPનું કોંગ્રેસમાં વિલય થઈ જાય તો શરદ પવાર માટે પણ રાજ્યસભાનો માર્ગ ખુલી શકે છે અને લોકસભામાં કોંગ્રેસની બેઠકોનું માળખુ પણ 51થી 56 થઈ શકે છે. તો વિપક્ષમાં બેસવા માટે કોંગ્રેસને પણ તક મળી શકે છે.
વિલયથી કોંગ્રેસ-NCP ને થઇ શકે ફાયદો
એક કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, NCP અને કોંગ્રેસ વચ્ચે વિલય સંભવ નથી. તેઓ કહે છે કે, પરંતુ જો તે થઇ રહ્યું તો તેમાં NCP અને કોંગ્રેસ બંન્નેને ફાયદો થાય છે. લોકસભામાં કોંગ્રેસની સંખ્યા 51થી વધીને 56 થઇ જશે. જો કે, લોકસભામાં વિપક્ષના નેતા બનવા માટે યોગ્ય છો. આ સાથે જ શરદ પવારને પણ રાજ્યસભામાં પદ મળી શકે છે.
Congress President Mr. @RahulGandhi met up with me today at my residence in Delhi. We discussed matters pertaining to the forthcoming Vidhan Sabha Elections and the drought situation in Maharashtra. pic.twitter.com/SUQHzjAbOB
પહેલા પણ કોંગ્રેસમાં થયો છે વિલય
લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં NCP અને કોંગ્રેસનું ગઠબંધન સફળ ના થઇ શક્યું. મહારાષ્ટ્રમાં NCPને 4 અને કોંગ્રેસને માત્ર 1 બેઠક પર જીત મળી શકી છે. જણાવી દઇએ કે, શરદ પવારે 1983માં કોંગ્રેસથી અલગ થઇને સોશિસ્ટ બનાવી હતી પરંતુ 1986માં ઔરંગાબાદમાં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીની હાજરીમાં તેમણે કોંગ્રેસમાં વિલય કર્યો હતો.