મહારાષ્ટ્રમાં ચાલી રહેલી સરકાર બનાવવાની રેસમાં કંઈક નવો જ વળાંક આવ્યો હોય તેવાં એંધાણ દેખાઈ રહ્યા છે. ખેડૂતો પર ચર્ચાના નામે NCP નેતા શરદ પવાર અને PM મોદીની પીએમઓ ખાતે બંધ બારણે બેઠક યોજાઈ હતી. જેમાં મહારાષ્ટ્ર રાજનીતિ અને NCPના ભવિષ્ય વિશે ચર્ચાઓ થઈ છે. જો કે શું ચર્ચા થઈ એતો હવે તેઓ જ જાણે.
NCPના મોટા નેતાઓએ શરદ પવારને સલાહ આપી
ભાજપ અને NCP મહારાષ્ટ્રમાં સરકાર બનાવે તો નવાઈ નહીં
સતાથી દૂર NCP સતાની નજીક જવા તૈયાર
NCPને કેન્દ્રમાં મોટા રોલની ઓફર
પરંતુ રાજકીય સુત્રોની મળતી માહિતી અનુસાર મોદી પવારની મિટીંગમાં PM મોદીએ NCPને કેન્દ્રમાં મોટા રોલની ઓફર કરી છે. સાથે સાથે NDA સાથે ભળી જઈ સરકારના મંત્રી મંડળમાં સ્થાન અને શરદ પવારને રાષ્ટ્રપતિ પદની ઓફર સુધીની વાતો પણ છે. જોકે આ મુદ્દે શું ચર્ચા થઈ છે એ મુદ્દે કોઈ પણ પ્રકારની ભાજપ અને NCP તરફથી સતાવાર માહિતી મળી નથી.
શું 2022માં શરદ પવાર રાષ્ટ્રપતિ?
સુત્રો જણાવે છે કે શરદ પવાર 2022માં રાષ્ટ્રપતિ બની શકે છે તેવી કોઈ ઓફર અપાયાની વાત છે. આ ઉપરાંત કેન્દ્રની NDA સરકારમાં ત્રણ મંત્રીઓ NCPના વધશે એવી વાત પણ ચર્ચાઈ રહી છે. સાથે સાથે ભાજપ અને NCP મહારાષ્ટ્રમાં સરકાર બનાવે તો મંત્રીમંડળમાં પણ NCPને મહત્વના હોદ્દાઓ આપશે.
NCPના મોટા નેતાઓની શરદ પવારે ને સલાહ
મહારાષ્ટ્રની રાજનીતિમાં ચર્ચાઈ રહ્યું છે કે NCPના મોટા નેતાઓ અને સાંસદોએ શરદ પવારને સલાહ આપી છે કે આપણે ભાજપ સાથે જતું રહેવું જોઈએ. આ અંગે અજીત પવાર આ વાત સ્વીકારવા તૈયાર ન હોવાથી સાંસદો સવારથી તેમના ઘરે તેમને સમજાવવા પહોચ્યા છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા ભાજપ સાથે જોડાવાની વાત NCPના તમામ નેતાઓ કહી રહ્યા છે.
પવાર ઢીલા પડ્યાં? કોણ પ્રેશર કર્યું?
સરકાર બનાવવા માટે ઉત્સુક બનેલાં શરદ પવાર છેલ્લા ચાર દિવસથી થોડાં ધીરા પડ્યાં હોય તેવું લાગે છે. પરમ દિવસે સોનિયા ગાંધી સાથે મિટીંગ કરી પણ પત્રકારોને કહ્યું અમારે તો સરકાર મુદ્દે કોઈ ચર્ચા થઈ નથી. તો પછી આટલી ધમાસાણ વચ્ચે સોનિયા ગાંધી મળવાં જવા પાછળનું રહસ્ય શું? જો કે એ જ દિવસે શરદ પવાર અને શિવસેનાના સાંસદ સંજય રાઉત પણ મળ્યા હતા. પણ અંતે તો સરકાર ન બનાવવાનો જ રાગ હતો.