શ્રીનગરઃ જમ્મૂ-કશ્મીરમાં આતંકીઓ દ્વારા પત્રકાર શુજાત બુખારી અને સેનાના જવાન ઔરંગજેબની હત્યા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે. રમઝાનને લઈને ઘાટી વિસ્તારમાં લાગુ કરવામાં આવેલા સીઝફાયરને હટાવવાને લઈને સમગ્ર દેશમાં માગ ઉઠી રહી છે. તો આ ચર્ચા કરવા માટે ગૃહમંત્રી રાજનાથસિંહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જમ્મૂ-કશ્મીરની સ્થિતિ સુરક્ષા અને સીઝફાયર પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ રાજનાથસિંહે ઘાટી વિસ્તારની સ્થિતિને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અવગત કર્યા હતા. જમ્મૂ-કશ્મીરમાં સીઝફાયરની મુદ્દત વધારવાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ 17 જૂને મોટુ એલાન કરી શકે છે.
રાજનાથસિંહે જણાવ્યું કે 16 જૂન સુધી ઘાટી વિસ્તારમાં સીઝફાયર અને સૈન્યના ઓપરેશન પર રોક લગાવવામાં આવી છે. હું ઈદ બાદ 17 જૂન પછી આ મુદ્દે કંઈ બોલીશ. આ બેઠકમાં કેન્દ્રીયમંત્રી જિતેન્દ્ર સિંહ હંસરાજ આહીર સહિત કેટલાંક મોટા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.