સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રમાં ચાલતા રાજકીય સંકટ અને રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને ગઇકાલે દિલ્હીમાં PM મોદી-અમિત શાહ વચ્ચે અઢી કલાક સુધી બેઠક ચાલી.
મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે PM મોદી-શાહ વચ્ચે બેઠક યોજાઇ
PM મોદી-શાહ વચ્ચેની આ બેઠક અઢી કલાક સુધી ચાલી: સૂત્ર
એકતરફ દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી આવી રહી છે અને બીજી બાજુ મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ ઉભું થયું છે. એવામાં ગઇકાલે PM મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં સૂત્રોના આધારે મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રમાં જે રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે અને રાષ્ટ્રપતિની ચૂંટણી આવી રહી છે તે બંને મુદ્દે ચર્ચા થઇ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં ગઇકાલે આખો દિવસ ઉહાપોહની સ્થિતિ સર્જાઇ હતી. જેમાં એકનાથ શિંદેના શક્તિ પ્રદર્શનથી માંડીને શરદ પવાર અને નીતિન દેશમુખના નિવેદનને લઇને મહારાષ્ટ્રની રાજનીતિમાં ભારે હલચલ મચી ગઇ છે. એવામાં PM મોદી-અમિત શાહની આ બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. કહેવાય છે કે અઢી કલાક સુધી આ બેઠક ચાલી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
18મી જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી અને 21 જુલાઈએ મતગણતરી
તમને જણાવી દઇએ કે, કેન્દ્રીય ચૂંટણી પંચે દેશના 16મા રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખની જાહેરાત કરી દીધી છે. જેમાં 18મી જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી થશે અને 21 જુલાઈએ મતગણતરી થશે. આ સાથે NDA દ્વારા દ્રોપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. ત્યારે મહત્વનું છે કે PM મોદી-અમિત શાહની બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે ચર્ચા થાય તે સ્વભાવિક છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે
મહત્વનું છે કે,રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈ 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તે પહેલા દેશના આગામી અને 15માં રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે. છેલ્લા 45 વર્ષથી આ તારીખે ચૂંટાયેલા પ્રમુખ પદ પર બિરાજમાન છે. છેલ્લે 17 જુલાઈ, 2017ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી.
Maharashtra political crisis | The strength of Shiv Sena MLAs in the Eknath Shinde camp is expected to cross 50 as more MLAs are likely to reach Guwahati today: Sources
અમારી પાસે શિવસેનાનાં 50 થી વધુ ધારાસભ્યોનું સમર્થન: એકનાથ શિંદેનો દાવો
બીજી બાજુ મહારાષ્ટ્રમાં રાજકીય સંકટના કારણે દેશની રાજનીતિમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. કારણ કે, તાજેતરમાં જ શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેએ પોતાની પાસે 50થી વધુ MLAનું સમર્થન હોવાનો દાવો કર્યો છે.ANI દ્વારા સુત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, એકનાથ શિંદે જુથમાં શિવસેનાના ધારાસભ્યોની સંખ્યા 50ને પાર થવાની ધારણા છે. કારણ કે, આજે વધુ ધારાસભ્યો ગુવાહાટી પહોંચે તેવી શક્યતા છે.
Maharashtra political crisis: MLAs in Eknath Shinde camp likely to cross 50 today
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જૂથની વધતી જતી તાકાત વચ્ચે CM ઉદ્ધવ ઠાકરે એ આજે ફરી એક બેઠક બોલાવી છે. બપોરે 12.30 વાગ્યે મળનારી આ બેઠકમાં આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે બીજી તરફ શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, અમારી પાસે જાદુઈ નંબર 37 છે. અને અમે એક છીએ. જો કે, રાજ્યપાલનો હજુ સુધી સંપર્ક થયો નથી. ઉપરાંત તેમણે કહ્યું કે, આજની બેઠકમાં ભાવિ રણનીતિ નક્કી કરવામાં આવશે. તેમના મતે કોઈપણ ધારાસભ્યને સસ્પેન્ડ કરી શકાય નહીં.
Threats are being given to Sharad Pawar ji by a Central minister. Do such threats have the support of Modi Ji and Amit Shah Ji?...We are taking action to disqualify the (rebel) MLAs: Shiv Sena leader Sanjay Raut pic.twitter.com/7U1mxb5FG5
- ઉદ્ધવ ઠાકરે શિવસેનાના જિલ્લા પ્રમુખો સાથે વાત કરશે. મળતી માહિતી મુજબ, એકનાથ શિંદેનું જૂથ પાર્ટીના પ્રતીક ધનુષ અને તીર પર પોતાનો દાવો દાખવવાનું છે. એટલા માટે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે.
- આજે બધાની નજર ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલ પર રહેશે. ગઈ કાલે, ઉદ્ધવ જૂથે તેમને 12 બળવાખોર ધારાસભ્યો (શિંદે સહિત)ની યાદી આપી છે. તેમને ગેરલાયક ઠેરવવા માંગ ઉઠી છે. બીજી તરફ શિંદેએ પોતાને ધારાસભ્ય દળના નેતા ગણાવ્યા છે. તેમણે ડેપ્યુટી સ્પીકરને પણ પત્ર મોકલ્યો છે.
- દેવેન્દ્ર ફડણવીસ આજે દિલ્હીમાં છે. તેઓ અમિત શાહ સાથે વાતચીત કરશે.
- આજે ડેપ્યુટી CM અજિત પવાર પર પણ નજર રહેશે. ગઈ કાલે કાકા શરદ પવારે તેમના દાવાને સદંતર નકારી કાઢ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અજિત પવારે કહ્યું હતું કે શિંદેના બળવા પાછળ ભાજપનો હાથ છે.
MVA decided to back CM Uddhav Thackeray. I believe once the (Shiv Sena) MLAs return to Mumbai the situation will change: NCP chief Sharad Pawar in Mumbai pic.twitter.com/QsPpYfw4RG
શરદ પવાર પણ મહાઅઘાડી સરકારને બચાવવા એક્શનમાં છે. તેમણે શિંદેના સાથીદારોને એક સ્પષ્ટ સંદેશો આપ્યો છે. કહેવામાં આવ્યું છે કે તેમને ભારે કિંમત ચૂકવવી પડશે. પવારે કહ્યું કે બહુમતનો નિર્ણય વિધાનસભાના ફ્લોર પર કરવામાં આવશે.