દેશમાં જાણીતા સ્ટીલ અને આર્સેલર મિત્તલ ગ્રૂપના ચેરમેન સાથે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુલાકાત કરી હતી, આ મુલાકાત બાદ મોટા આર્થિક રોકાણના એંધાણ સામે આવ્યા છે
50 હજાર કરોડનું વધારાનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી
આર્સેલર મિત્તલ ગ્રુપના ચેરમેન લક્ષ્મી મિતલ અને CM વિજય રૂપાણી વચ્ચે મુલાકત થઈ હતી. આર્સેલર મિતલ ગ્રુપના CEO દિલીપ ઉમા પણ હાજર રહ્યા હતા. આ મુલાકાતમાં ખાસ 50 હજાર કરોડથી વધારાનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. જે આવનારા સમયમાં ગુજરાત માટે લાભદાયક બની શકે છે. આર્સેલર મિતલ ગ્રુપના યુનિટમાં એક્સપન્સન રોકાણ વધારશે. ખાસ આગામી સમયમાં સોલાર, વિન્ડ, હાઇડ્રો પાવર માટે પણ રોકાણ કરશે. મિત્તલ ગ્રૂપ દ્વારા ગુજરાતમાં કુલ 1 લાખ કરોડનું રોકાણની તૈયારી દર્શાવી છે.
જાણીતા સ્ટીલ ઉદ્યોગ અને આર્સેલર મિત્તલ ગ્રૂપના ચેરમેન લક્ષ્મી મિત્તલની આ મુલાકાત પછી સુરતના હજીરા પ્લાન્ટ પાસે આશરે 50 હજાર કરોડ રૂપિયાનું રોકાણની પ્રતિબદ્ધતા દર્શાવી છે. અને તો ભવિષ્યમાં કુલ 1 લાખ કરોડ રૂપિયાના કુલ રોકાણની પણ ઉત્સુખતા દર્શાવી છે. આ રોકાણોમાં એનર્જી, હાઈડ્રોજન ગેસ ઉત્પાદન, વિન્ડ સહિતના સેક્ટરનો સમાવેશ થાય છે. જે ગુજરાતના આર્થિક મોડલમાં એક મોટું રોકાણ સમજી શકાય છે. જેની સામે મુખ્યમંત્રીએ પણ આવકાર આપ્યો હતો. સાથે રોકાણ માટે યોગ્ય સુવિધાની પણ હકારાત્મતા દર્શાવી હતી. આ સાથે આ મુલાકાતમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે પણ વિશેષ ચર્ચા થઈ હતી. અને આરોગ્ય ક્ષેત્રે કામગીરીની પ્રશંસા કરાઈ હતી.