આજે અમે તમને એક એવી કહાની જણાવા જઈ રહ્યાં છીએ કે જેનાથી તમારા શરીરના રૂવાંટા ઉભા થઈ જશે. લઘભગ 13 વર્ષની માલવિકા હતી. ત્યારે તે એક ગ્રેનેડ હુમલામાં તેમના બંને હાથ ખોઈ બેઠી હતી. આજે તેમની ઉંમર 30 વર્ષ છે. પરંતુ લાખો લોકોને તેમને પ્રેરણા આપી છે.
માલવિકા બંને હાથોથી વિકલાંગ છે મનથી નહિ
વિકલાંગ હોવા છતાં SSCમાં ટોપ કર્યું હતું
અબ્દુલ કલામ પણ માલવિકાથી પ્રભાવિત થયા હતા
માલવિકા ઐયરનું તાજેતરમાં જ તેમનું એક ટ્વીટર પોસ્ટ વાયરલ થઈ રહ્યું છે અને ત્યારબાદ દરેક લોકો તેમની જીવનગાથા જાણવા માટે ઈચ્છુક છે.
Happy birthday to me ❤️
Today I want to share with you an excerpt from a speech I delivered at the United Nations. When the bomb blew up my hands, the doctors were under a lot of pressure to save my life so they made some surgical errors while stitching back my right hand. pic.twitter.com/Bia56IN12u
તેમણે તેમના 30માં જન્મદિન પર ટ્વીટર પર એક પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે 'હેપ્પી બર્થડે ટુ મી' જ્યારે બોંબથી મારા બંને હાથ ઉડી ગયા હતા ત્યારે ડોક્ટરે મને બચાવવા માટે ખુબ પ્રયાસ કર્યા. તેમણે મારા બંને હાથની સર્જરી કરી પરંતુ તે ભૂલ અવિશ્વાસનીય સાબિત થઈ. હવે મારા હાથના હાડકા આંગળીઓ જેવું કામ કરે છે. તે કારણે જ આજે હું ટાઈપ કરી શકું છું.
તે આગળ લખે છે કે 'દરેક વાદળોમાં ચંદ્રની રોશની સંતાયેલી હોય છે. અને આ જીવન પણ આવું જ હોય છે. મને પીએચડી થીસિસ લખવાનો આનંદ છે અને હવે હું આ મારી વેબસાઈટ પર શેર કરવા માટે ઉત્સાહીત છું.
માલવિકા અય્યર જ્યારે 13 વર્ષની હતી ત્યારે 2002માં બોંબ ફાટવાથી તેમણે પોતાના બંને હાથ ગુમાવ્યા હતા. આ વાત તે વખતની છે જ્યારે તેમના માતા પિતા રાજસ્થાનના બિકાનેરમાં રહેતાં હતા. જો કે આ ઘટનામાં તેમનું મૃત્યુ પણ થઈ શકતું હોત. પરંતુ તે બચી ગઈ. તેમની પરિસ્થિતિ ખુબ ગંભીર હતી અને તેમના આ અનુભવને કારણે તેમનો જિંદગી જીવવાનો અભિગમ બદલાયો.
વર્ષ 2004ની વાત છે જ્યારે ધોરણ 10ની પરીક્ષાના ચાર મહિનાની વાર છે. ત્યારે માલવિકાએ ચેન્નઈમાં તમિલનાડુ સેકન્ડરી સ્કુલ લીવીંગ સર્ટીફિકેટમાં પરીક્ષામાં શામિલ થવાનો નિર્ણય લીધો. જો કે હોસ્પિટલમાં દાખલ હોવાથી 2003માં ધોરણની 9ની પરીક્ષા આપી શકી ન હતી. ત્યારબાદ તેમણે સીધી ધોરણ 10ની પરીક્ષા આપી અને SSCમાં સમગ્ર રાજ્યમાં ટોપ કર્યું.
માલવિકાએ એક ઈંટરવ્યુમાં જણાવ્યું કે 'મારા વિષે ન્યુઝપેપરમાં કલામ સાહેબ વાંચ્યા બાદ તેણે મને રાષ્ટ્રપતિ ભવન બોલાવી. તેમણે મારા કરિયરની યોજનાઓ વિષે પૂછ્યુ અને તેમણે મને મિસાઈલ નિર્માણ વિષે પણ જણાવ્યું. અને ત્યારબાદ મેં ક્યારેય પાછળ ફરીને નથી જોયું.
તેમણે ત્યારબાદ દિલ્હીમાં સેંટ સ્ટીફન કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક કર્યું અને સોશ્યલ સર્વિસમાં માસ્ટર કર્યું. ત્યારબાદ તેમણે ચેન્નઈ સ્થિત મદ્રાસ સ્કૂલ ઓફ સોશ્યલ વર્કમાં અને સામાજિક કાર્યમાં એમફિલ અને પીએચડી કર્યું. માલવિકાએ સમાજ માટે ઉમદા કાર્યો કર્યા. અને તેમના દિવ્યાંગ હાથો જ તેમને પ્રેરણા અને હિંમત આપી.